E-Paper
Saturday, June 7, 2025
E-Paper
HomeGujaratBhavnagarગોહિલવાડમાં 'સિંહ'ની સરખામણીએ 'સિંહણ' વધુ : 23 બાળ સિંહ સાથે 116 'વનરાજ'

ગોહિલવાડમાં ‘સિંહ’ની સરખામણીએ ‘સિંહણ’ વધુ : 23 બાળ સિંહ સાથે 116 ‘વનરાજ’

તાજેતરમાં થયેલી સિંહની વસ્તી ગણતરીમાં ભાવનગર જિલ્લામાં પાંચ વર્ષમાં સિંહની વસ્તીમાં ૪૩ના વધારા સાથે કુલ વસ્તી વધીને ૧૧૬એ પહોંચી છે. વર્ષ-૨૦૨૦માં થયેલી ગણતરીમાં ભાવનગર જિલ્લામાં ૭૩ સિંહની વસ્તી નોંધાયા બાદ પાંચ વર્ષે થયેલી ગણતરીમાં નર સિંહની સરખામણીએ માદા સિંહની સંખ્યા વધુ નોંધાઈ છે.સતત ત્રણ દિવસ ચાલેલી આ ગણતરીમાં ૧૩૩થી વધુ ગણતરીકારોની ટીમે જિલ્લાના વિવિધ લોકેશન પરથી વિવિધ પ્રાચિન અને અવાર્ચિન પદ્ધતિએ વસ્તી ગણતરી કરી હતી. રાજ્યના વન વિભાગ દ્વારા દર પાંચ વર્ષે  કરવામાં આવતી સિંહની વસ્તી ગણતરી અંતર્ગત આ વર્ષે ગત તા.૧૦થી ૧૩ મે દરમિયાન બે તબક્કામાં ૧૬મો સિંહ વસ્તી અંદાજ-૨૦૨૫ યોજાયો હતો. સિંહનું અસ્તિત્વ ધરાવતાં ૧૧ જિલ્લાના ૫૮ તાલુકાના અંદાજે ૩૫ હજાર ચો.કિમી વિસ્તારમાં હાથ ધરાયેલી ગણતરીમાં ડાયરેક્ટ બીટ વેરીફીકેશન પધ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ પદ્ધતિ અંતર્ગત ભાવનગર જિલ્લામાં સિંહનું અસ્તિત્વ અને વિચરણ ધરાવતાં વિસ્તારોમાં ભાવનગર વન વિભાગના નેતૃત્વ તળે ૧૩૩ ગણતરીકારો, સ્વયંસેવકો, વન વિભાગના કર્મચારીઓ,મદદનીશ ગણતરીકારો તથા નિરીક્ષકો મળી ૫૦૦થી વધુ લોકો જોડાયા હતા. બે તબક્કામાં યોજાયેલી આ ગણતરી અંતર્ગત ટીમ દ્વારા સમગ્ર વિસ્તારને રિજિયન, ઝોન, સબ ઝોન જેવા એકમોમાં વિભાજીત કરવામાં આવ્યો હતો. જેમાં સિંહોની નોંધ અને ચકાસણી કરવા માટે અપાયેલાં નિયત પત્રકોમાં ગણતરીકારોએ તેમને સોંપાયેલ વિસ્તારોના નકશા કે વિસ્તારમાં ઝીણવટભરી કામગીરી કરી હતી. જયારે, ગણતરીકારોએ અહેવાલ પત્રકોમાં સિંહના અવલોકનનો સમય, હિલચાલની દિશા, લિંગ, ઉંમર, શરીર પરના કોઈ અન્ય ઓળખ ચિન્હો, જી.પી.એસ. લોકેશન, ગુ્રપ કંપોઝીશન વગેરે વિગતો નોંધી હતી. જેના આધારે નક્કી થયેલાં વસ્તીના અંદાજને આજે વન વિભાગે જાહેર કર્યો હતો. જેમાં ૧૬માં સિંહ વસ્તી અંદાજ મુજબ ભાવનગર જિલ્લામાં પુખ્ત વયના ૩૦ નર, ૪૪ માદા, મધ્ય વયના ૯ નર, ૧૦ માદા અને ૨૩ સિંહ બાળ સાથે કુલ ૧૧૬ સિંહની નોંધણી થઈ હોવાનું ભાવનગરના ડીસીએફે જણાવ્યું હતું.ઉલ્લેખનિય છે કે, વર્ષ-૨૦૨૦માં થયેલી ૧૫મી સિંહ વસ્તી ગણતરીમાં ભાવનગર જિલ્લામાં ૭૩ સિંહ નોંધાયા હતા. જેની સરખામણીએ આ વર્ષે ૩૯ સિંહ, ૫૪ સિંહણ અને ૨૩ સિંહ બાળ નોંધાયા છે. 

સિંહને શોધવામાં મોર્ડન ટેકનોલોજીનો ઉપયોગ કરાયો 

વન વિભાગના સૂત્રોએ જણાવ્યું કે, આ વખતે સિંહની વસ્તી ગણતરી કરવા માટે ગણતરીકારો અને વન વિભાગ દ્વારા સિંહોની વ્યક્તિગત ઓળખ કરવા માટે હાઈ રીઝોલ્યુશન કેમેરા સહિતની મોર્ડન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.તો,  કેટલાક સિંહોને રેડિયો કોલર હોવાથી તેમના સહિત તેમના ગુ્રપનું લોકેશન મેળવવામાં મદદ મળી હતી.ઉપરાંત, સિંહ અવલોકનના રિયલ ટાઈમ ડેટા એન્ટ્રી કરવામાં મદદરૂપ થાય તે માટે જી-ગુજફોર્સેટ એપ્લિકેશન અને જી.આઇ.એસ. સોફ્ટવેરનો ઉપયોગ કરાયો હતો. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments