E-Paper
Sunday, June 8, 2025
E-Paper
HomeTop Newsછત્તીસગઢમાં સુરક્ષા દળોને મળી મોટી સફળતા, 45 લાખ રૂપિયાનું ઈનામ ધરાવતો ટોચનો...

છત્તીસગઢમાં સુરક્ષા દળોને મળી મોટી સફળતા, 45 લાખ રૂપિયાનું ઈનામ ધરાવતો ટોચનો નક્સલી નેતા ભાસ્કર રાવ ઠાર

છત્તીસગઢના બીજાપુર રાષ્ટ્રીય ઉદ્યાન વિસ્તારમાં શુક્રવારે સુરક્ષા દળો સાથેની એન્કાઉન્ટરમાં ૪૫ લાખ રૂપિયાનું ઈનામ ધરાવતો એક મોટો નક્સલી નેતા માર્યો ગયો. બીજાપુર પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર માર્યા ગયેલા નક્સલી નેતાની ઓળખ ભાસ્કર રાવ ઉર્ફે મૈલારાપુ અદેલ અને મંડુગુલા ભાસ્કર રાવ તરીકે થઈ છે.

બસ્તર રેન્જના આઈજી પી. સુંદરરાજે જણાવ્યું હતું કે, સુરક્ષા દળોએ એન્કાઉન્ટર સ્થળ પરથી ભાસ્કર રાવનો મૃતદેહ, AK-47 રાઈફલ, વિસ્ફોટકો અને અન્ય હથિયારો કબજે કર્યા છે. તેમણે કહ્યું કે આ વિસ્તારમાં છુપાયેલા અન્ય નક્સલીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે.

ભાસ્કર રાવ તેલંગાણાનો રહેવાસી હતો

આઈજીએ જણાવ્યું કે, ભાસ્કર રાવ તેલંગાણાના આદિલાબાદ જિલ્લાના ઉરુમદલા ગામનો રહેવાસી હતો. તેના પર કુલ 45 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. આમાં, છત્તીસગઢ સરકારે 25 લાખ રૂપિયાનું ઇનામ રાખ્યું હતું, જ્યારે તેલંગાણા સરકારે 20 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું. તે સીપીઆઈ (માઓવાદી) સંગઠનની તેલંગાણા રાજ્ય સમિતિના મંચેરિયલ-કોમારાંભીમ (એમકેબી) વિભાગના સચિવ અને સ્પેશિયલ ઝોનલ કમિટી (એસઝેડસી) ના સભ્ય હતા.

ભાસ્કરના મૃત્યુના એક દિવસ પહેલા સીપીઆઈ (માઓવાદી) ના કેન્દ્રીય સમિતિના સભ્ય રહેલા અન્ય ટોચના નક્સલી નેતા સુધાકર (ઉર્ફે ગૌતમ) પણ તે જ જંગલમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેમની પાસેથી એક AK-47 પણ મળી આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments