અમદાવાદ: અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં બુધવારે મોડી રાત્રે એક દયનિય અને ચોંકાવનારી ઘટના બની હતી. માત્ર રૂપિયા 500ની નાની લેતીદેતીના વિવાદમાં ત્રણ શખ્સોએ મળીને એક યુવકની છરીના ઘા ઝીકીને નિર્મમ હત્યા કરી હતી. સમગ્ર ઘટનાને પગલે નિકોલ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા 2 આરોપીઓને ઝડપી લીધા છે, જ્યારે ત્રીજો આરોપી હજી પોલીસ પકડથી દૂર છે.
500ની લેણદેણ…બન્યો હત્યાનો અંજામ
મળતી માહિતી અનુસાર, મૂળ મધ્યપ્રદેશનો વતની અને હાલમાં નિકોલ વિસ્તારમાં મુક્તિધામ એસ્ટેટ ખાતે રહેતો તેમજ એમ્બ્રોડરી કારખાનામાં કામ કરતો વિવેકસિંહ તોમર (ઉ.વ. 26) પોતાના પિતરાઈ ભાઈ સાથે એસ્ટેટના ગેટ નં-1 પાસે બેઠો હતો. તે દરમિયાન આરોપી આકાશ ચૌહાણ, આઝાદ ચૌહાણ અને નિતેશ ઉર્ફે દીનુ તોમર ત્યાં પહોંચ્યા હતા. ત્રણે આરોપીઓએ વિવેકસિંહ સાથે રૂપિયા 500ના લેણદેણને લઈને ઝઘડો શરૂ કર્યો. વાત વિવાદમાંથી વેકાતી હિંસા સુધી પહોંચી ગઈ અને નિતેશે તેની પાસે રહેલું ચપ્પુ કાઢીને વિવેકસિંહના પેટમાં એક પછી એક બે ઘા ઝીંકી દીધા હતા. જેણે કારણે વિવેકસિંહ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો અને ઘટનાસ્થળ પર જ મોતને ભેટ્યો હતો. આ દરમ્યાન વિવેકસિંહના પિતરાઇ ભાઇએ એને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ત્રીજાએ મળીને તેને પણ માર મારી ફરાર થઈ ગયા હતા.
પોલીસે ગણતરીની કલાકોમાં હત્યારાની કરી ધરપકડ
ઘટનાની જાણ થતાં જ નિકોલ પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ કારેલી જવી તટસ્થ કામગીરી હાથ ધરી હતી. પોલીસે તાત્કાલિક રીતે આકાશ ચૌહાણ અને નિતેશ તોમરને પકડી પાડ્યા છે. જ્યારે આઝાદ ચૌહાણ હજુ ફરાર છે અને તેની શોધ માટે પોલીસે વિશેષ ટીમ ગઠિત કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, નિતેશ તોમર વિરુદ્ધ અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયેલા છે. તે તડીપાર અને પાસાના કાયદા હેઠળ પણ અટકાયતમાં આવી ચુક્યો છે. હાલ પોલીસે આરોપીઓના નિવેદનના આધારે વધુ તપાસ શરૂ કરી છે કે મૃતક સાથે લેણદેણ સિવાયના કોઈ બીજાં કારણો પણ હત્યા પાછળ જવાબદાર છે કે કેમ તે અંગે નિકોલ પોલીસે તપાસના ચક્રોગતિમાન કર્યા છે.