E-Paper
Saturday, June 7, 2025
E-Paper
HomeTop Newsઅમદાવાદમાં 26 મેએ PM મોદીનો રોડ શૉ,જાણો પ્રતિબંધિત-વૈકલ્પિક રૂટ

અમદાવાદમાં 26 મેએ PM મોદીનો રોડ શૉ,જાણો પ્રતિબંધિત-વૈકલ્પિક રૂટ

અમદાવાદના અનેક વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોવાના દ્રશ્યો સામે આવતા હોય છે, ત્યારે અમદાવાદના એરપોર્ટથી ઈન્દીરાબ્રિજ સર્કલ સુધી આગામી 26 મે, 2025ના રોજ વડાપ્રધાનના ‘રોડ શૉ’ના કાર્યક્રમ લઈને અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. અમદાવાદથી ગાંધીનગર અપ-ડાઉન કરતાં લોકો અને એરપોર્ટ તરફ ગમન કરતાં મુસાફરો પ્રભાવિત થાય તેમ છે, ત્યારે શહેરમાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય અને લોકોને પરિવહન કરવામાં મુશ્કેલી ન પડે તેને લઈને શહેર ટ્રાફિક પોલીસે વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત માર્ગ અને વૈકલ્પિક માર્ગ અંગે જાણકારી આપી છે.

અમદાવાદમાં 26 મેએ વડાપ્રધાનનો ‘રોડ શૉ’અમદાવાદના એરપોર્ટથી ઈન્દીરાબ્રિજ સર્કલ સુધી આગામી 26 મેના રોજ સાંજે 4 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા દરમિયાન વડાપ્રધાનના રોડ શૉ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ સહિતના આયોજનમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેવાના છે, ત્યારે ટ્રાફિક વ્યવસ્થા અંગે શહેર ટ્રાફિક પોલીસે જાહેરનામું બહાર પાડીને જાહેર જનતાને લઈને વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત-ડાયવર્ઝન રૂટની માહિતી આપવામાં આવી છે. 

પ્રતિબંધિત માર્ગ

– અમદાવાદ એરપોર્ટથી એરપોર્ટ સર્કલ થઈ ઈન્દીરાબ્રિજ સર્કલ થઈ મધર ડેરી થઈને એપોલો સર્કલ સુધીનો માર્ગ વાહનોની અવર-જવર માટે બંધ રહેશે.

– ડફનાળા ચાર રસ્તાથી એરપોર્ટ સર્કલ થઈને ઈન્દીરાબ્રિજ સર્કલ થઈને ભદ્રેશ્વર વાય જંકશન સુધીનો માર્ગ વાહનોની અવર-જવર માટે બંધ રહેશે.

વૈકલ્પિક રૂટ

– ઈન્દીરાબ્રિજથી ગાંધીનગર તરફ જતો ટ્રાફિક નોબલનગર ટીથી રૂબ ટી, નાના ચિલોડા ચાર રસ્તા, એપોલો સર્કલ સુધીના માર્ગનો વાહનોની અવર-જવર માટે ઉપયોગ કરી શકશે. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments