મનરેગા કૌભાંડ અંગે ભરુચના સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું કે, ‘કૌભાંડને લઈને માત્ર તેમનો જિલ્લો જવાબદાર નથી. આ યોજનને સફળ બનાવવી હોય તો ગાંધીનગર એટલે કે, રાજ્ય સરકારના સ્તરથી જ આ માટે ચોક્કસ કાયદા અને નિયમો બનાવવા પડે. ઉપરથી લઇને નીચે સુધી તમામ લોકોની મિલિભગત હોય છે.
મનસુખ વસાવા : દાહોદ બાદ ભરુચમાં પણ મનરેગા કૌભાંડ સામે આવતા ચકચાર મચી ગઇ છે. જેના પગલે હવે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આ સમગ્ર કૌભાંડની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવવામાં આવી છે. જેમાં DySP કક્ષાના અધિકારી પાસે તપાસ કરાવવામાં આવશે. સમગ્ર કૌભાંડ મામલે વેરાવળની બે એજન્સીઓ વિરુદ્ધ ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે. 58 ગામોમાં 7 કરોડ 30 લાખ રૂપિયાના કૌભાંડની શક્યતા છે. જોકે, આ તમામ ઘટનાક્રમ વચ્ચે ભરૂચના સાંસદ મનસુખ વસાવા ખુબ જ ધુંધવાયા છે. તેમણે કહ્યું કે, આ કૌભાંડમાં નીચેથી લઇને ઉપર સુધી તમામને હપ્તા જાય છે તેવો દાવો કરી દીધો હતો.
મનસુખ વસાવાએ ભ્રષ્ટાચારની ખોલી પોલ!
મનરેગા કૌભાંડ અંગે ભરુચના સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું કે, ‘કૌભાંડને લઈને માત્ર તેમનો જિલ્લો જવાબદાર નથી. આ યોજનને સફળ બનાવવી હોય તો ગાંધીનગર એટલે કે, રાજ્ય સરકારના સ્તરથી જ આ માટે ચોક્કસ કાયદા અને નિયમો બનાવવા પડે. ઉપરથી લઇને નીચે સુધી તમામ લોકોની મિલિભગત હોય છે. રાજ્ય સ્તરના મંત્રી હોય, સેક્રેટરી હોય, વિભાગના કમિશ્નર હોય કે પછી જિલ્લા વિકાસ અધિકારી મામલતદાર કે પછી બિલ પાસ કરનારો ક્લાર્ક તમામ લોકો આ કૌભાંડમાં ભાગબટાઇ કરતા હોય છે. જ્યારે તપાસ હાથ ધરવામાં આવે ત્યારે નીચેના કોઇ સામાન્ય કર્મચારીને બલીનો બકરો બનાવીને ફસાવી દેવામાં આવે છે. જ્યારે મલાઇ બધાએ ખાધી હોય છે.’
અત્રે ઉલ્લેખનીય છે કે, ભરૂચ ખાતે મદદનીશ પ્રાયોજના અધિકારી પ્રતિક ઉદેસિંહ ચૌધરીએ મનરેગા યોજનામાં આમોદ, જંબુસર, હાંસોટમાં કરોડોનું કૌભાંડ થયું હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં જલારામ એન્ટરપ્રાઇઝ એજન્સી (પિયુષભાઇ નુકાણી), મુરલીધર એન્ટરપ્રાઇઝ (જોધાભાઇ સભાડ) અને કરાર આધારિત આઉટસોર્સ કર્મચારી સામે ફરિયાદ નોંધાઈ હતી.