E-Paper
Saturday, June 7, 2025
E-Paper
HomeBreaking Newsગુજરાતમાં કોરોનાએ મચાવ્યો હાહાકાર, છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 170 કેસ નોંધાયા

ગુજરાતમાં કોરોનાએ મચાવ્યો હાહાકાર, છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 170 કેસ નોંધાયા

ગુજરાત: ગુજરાતમાં કોરોના વાઈરસના કેસમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 170 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના 23 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તો બીજી તરફ 694 દર્દીઓ હોમ આઈસોલેશનમાં છે. ગુજરાતમાં એક્ટિવ કેસનો આંકડો 717 પર પહોંચી ગયો છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 170 કેસ 

ગુજરાતમાં કોવિડ 19ના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. કોરોના કેસમાં વધારો થતા આરોગ્ય વિભાગ એક્શમાં આવ્યું છે. ત્યારે રાજ્યમાં આજે કોરોનાના નવા 170 કેસ નોંધાયા છે. કોવિડ-19ના નવા 170 કેસ સાથે કુલ 717 કેસ થયા છે. ગુજરાતમાં કોરોનાના 717 કેસમાંથી 23 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. કોરોના સંક્રમિત 694 દર્દીઓને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. 68 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

  • રાજ્યમાં આજે કોરોનાના નવા 170 કેસ નોંધાયા
  • કોવિડ-19ના નવા 170 કેસ સાથે કૂલ 717 કેસ થયા
  • 717 કેસમાંથી 23 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ
  • 694 દર્દીઓ હોમ આઈસોલેશનમાં સારવાર હેઠળ
  • 68 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરાયા 

રાજ્ય સરકારે જનતાને સાવચેતી રાખવા અપીલ 

ગુજરાતમાં કોરોના વાયરસના કેસો વધવા એ ચિંતાનો વિષય છે. રાજ્યમાં કોરોનાના કેસો સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાત સરકારે જનતાને સાવચેતી રાખવા માટે અપીલ કરી છે. અમદાવાદની વાત કરવામાં આવે તો અસરવા સિવિલમાં કોરોના દર્દીઓની સંખ્યા ખુબ જ વધુ જોવા મળી રહી છે. ભીડવાળા વિસ્તારમાં માસ્ક પહેરીને જવુ જોઇએ, લોકો સાથે અંતર જાળવી રાખીને વાતચીત કરવી વગેરે જેવા સૂચનો રાજ્ય સરકારે કર્યા છે. ત્યારે આ કોરોનાની લહેરથી બચવા માટે ગાઇડ લાઇનનું પાલન કરવું અપીલ કરાઇ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments