અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન ટેકઓફ થયાના થોડા સમય પછી જ ક્રેશ થઈ ગયું. આ વિમાનમાં ક્રૂ મેમ્બર્સ સહિત 242 લોકો સવાર હતા. અકસ્માત બાદ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચેલી રાહત અને બચાવ ટીમે બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. ક્રે

શ થયેલા વિમાનમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સવાર હતા. ત્યારે સુત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે કે, આ દુર્ઘનામાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું છે. એવું માનવામાં આવે છે કે વિજય રૂપાણી તેમની દિકરીને મળવા લંડન જઈ રહ્યા હતા. જાણકારી મુજબ વિજય રુપાણીના પત્ની અંજલિ રુપાણી લંડનથી પરત આવવા માટે રવાના થયા છે. તેઓ 10 તારીખે લંડન ગયા હતા. ત્યારે વિમાન દુર્ઘટના પછી, આ ફ્લાઇટના મુસાફરોની યાદી પણ સામે આવી છે. એર ઇન્ડિયાના ક્રેશ થયેલા વિમાનમાં કુલ 230 મુસાફરો હતા. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નામ પણ આ ફ્લાઇટના મુસાફરોની યાદીમાં છે. વિજય રૂપાણીનું નામ મુસાફરોની યાદીમાં 12મા ક્રમે છે અને તેમનો સીટ નંબર 2D છે.