E-Paper
Wednesday, June 18, 2025
E-Paper
HomeGujaratજરોદ પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ચિરાગ મુકેશ ઝીંઝુવાડિયા પાસે...

જરોદ પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ચિરાગ મુકેશ ઝીંઝુવાડિયા પાસે થી ચોરી કરેલ માલસામાન મળી આવ્યો

બે માસ અગાઉ વાઘોડિયા નગરમાં આવેલ દ્વારકાધીશ મંદિર પાસે રહેતા નિવૃત્ત વન વિભાગ ના ફોરેસ્ટ ઓફિસર જીતેન્દ્ર કુમાર જયંતિ લાલ કાશીવાલા ના બંધ મકાન માં રાત્રીના સમયે તસ્કરો એ તાળું તોડી ૩૪૫ ગ્રામ સોના ચાંદી ના ઘરેણાં અને રોકડ રકમ ૨૭ હજાર ની ચોરી થવા પામતા જીતેન્દ્ર કુમાર કાશીવાલા એ વાઘોડિયા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા રૂરલ ડી વાય એસ પી સહિત લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ એલર્ટ બનીને અલગ અલગ ટીમો બનાવીને સ્થાનિક સી સી ટી વી કેમેરા કુટેજ ને ખંગારતા સ્વીફ્ટ કાર જોવા મળતા તપાસ નો દોર લંબાવતા પાડોશી રાકેશ સતિષભાઈ ચૌહાણ નું તસ્કરો સુધી પહોંચવાનું પગેરું મળતા ભરૂચ પાલેજ અને કરજણ સહિત ના ઇસમો ની રાકેશ ચૌહાણે મદદ મેળવીને રાજસ્થાન સ્થીત રીઢા ગુનેગાર રામજી ઉર્ફે રાજુ ઉર્ફે રામલાલ જલામા મીના નો સંપર્ક કરી ચોરી નો અંજામ આપ્યો હોવાનું રાકેશ ચૌહાણે તપાસમાં કબુલતા પોલીસે મુદ્દામાલ કબજે કરવા અંગે ની કડક પુછપરછ ના આધારે રાકેશ ચૌહાણ ના નિકટના જરોદ પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ચિરાગ મુકેશ ઝીંઝુવાડિયા ને ચોરી કરેલ માલસામાન આપ્યો હોવાનું જણાવતા એકંદરે પોલીસ બેડામાં સોંપો વ્યાપી ગયો હતો ત્યારે પોલીસે જરોદ પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ચિરાગ મુકેશ ઝીંઝુવાડિયા ની આ અંગે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે ત્યારે જરોદ પોલીસ સ્ટેશન સહિત વાઘોડિયા પોલીસ સ્ટેશન માં ભારે ખળભળાટ મચી ગયો હતો અને જાહેર જનતા માં પણ પોલીસ પ્રજા નો હમદર્દ સાચો મિત્ર હોવાની છાપ જાણે ખરડાઈ રહી હોય તેમ લોક ચચૉઓ મુજબ રક્ષક જ્યારે ભક્ષક બને તો ફરીયાદ કોને કરવી ની તરેહ તરેહની ચચૉઓ જાણકાર વર્તુળોમાં ઉઠવા પામી છે.

REPORTER : કિશન રોહિડા વાઘોડિયા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments