E-Paper
Saturday, June 7, 2025
E-Paper
HomeGujaratજામનગર : જુન માસની મેલેરિયા વિરોધી માસ તરીકે ઉજવણી: આરોગ્ય વિભાગ દ્વારા...

જામનગર : જુન માસની મેલેરિયા વિરોધી માસ તરીકે ઉજવણી: આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શન અપાયું

ચોમાસું નજીકમાં છે, અને વરસાદ થતાં પાણી ભરાઈ રહેવાની શક્યતાઓ વધી જાય છે. અને આ જમા થયેલ પાણી એટલે મચ્છરનું જન્મસ્થળ મચ્છર કરડવાથી મેલેરિયા જેવા રોગ લાગુ પડે છે. તેનાથી બચવા માટે આરોગ્ય વિભાગ દ્વારા કેટલાક ઉપાયો સૂચવવામાં આવ્યા છે.

આમ, મચ્છરની ઉત્પતી થતા ચોમાસા માં મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકુનગુનિયાના કેસોમાં વધારો જોવા મળે છે. આ રોગચાળાને ફેલાતો અટકાવવો હોય, તો મચ્છરના ઉત્પતિ સ્થાનો શોધી અને તેનો નાશ કરવો જોઈએ.

હાલ, યોગ્ય સમય છે. આવા મચ્છરના ઉત્પતી સ્થાનો શોધીને તેનો નાશ કરવાનો. આ માટે ખાસ ધાબા પરના કાટમાળને દુર કરો ધાબા ઉપરના વરસાદી પાણીના નિકાલ ની ડ્રેનેજ લાઈનની સફાઈ કરો. નકામા ટાયર, પ્લાસ્ટીક ના કપ, નકામા ભંગાર વગેરે ને દુર કરો. પાણી ના ટાંકા-ટાંકી વગેરે ના ઢાંકણ ચકાસી લો, જો તૂટેલા જણાય તો તેને ટાંકા માં મચ્છર પ્રવેશી ન શકે તે રીતે રીપેર કરવો.

દર રવિવારે 10 મીનીટનો સમય કાઢી તમામ પાણી ભરાયેલા પાત્રોની ચકાસણી કરો. મચ્છરની ઉત્પતિ જણાય તો તેને દુર કરો. આમ, ચોમાસા પહેલા જ મચ્છરના ઉત્પતિ સ્થાનોને દુર કરીએ અને મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકુનગુનિયા જેવા મચ્છરજન્ય રોગથી બચી શકાય છે. તેમ મેડીકલ ઓફિસર ઓફ હેલ્થ જામનગર મહાનગરપાલિકાની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments