E-Paper
Friday, June 6, 2025
E-Paper
HomeIndiaપૂર્વોત્તરમાં વિનાશ વેરતા વરસાદ, પૂર, ભૂસ્ખલન : આસામમાં 4 લાખને અસર

પૂર્વોત્તરમાં વિનાશ વેરતા વરસાદ, પૂર, ભૂસ્ખલન : આસામમાં 4 લાખને અસર

:સિક્કીમમાં લગભગ 1,700 પ્રવાસી બચાવાયા

:નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા માટે ચેતવણી જારી કરવામાં આવી : મણિપુરમાં 20 હજારથી વધુને અસર

નવી દિલ્હી : પૂર્વ ભારતમાં ભારે વરસાદે રીતસરનો વિનાશ વેર્યો છે. ભારે વરસાદના લીધે આવેલા પૂર અને ભૂસ્ખલનના લીધે પૂર્વી રાજ્યોમાં કુદરતી હોનારતની સ્થિતિ સર્જાઈ છે. આસામમાં ચાર લાખને અસર થઈ છે. અરુણાચલ પ્રદેશ, મિઝોરમ અને નાગાલેન્ડમાં પણ ભારે વરસાદના લીધે કેટલાય લોકોને વિસ્થાપિત થવું પડયુ છે. નદીઓ તોફાને ચઢતાં કાંઠા પરના કેટલાય ઘરો ડૂબી ગયા છે.  

ભારતના હવામાન વિભાગે તો આસામ અને મેઘાલય માટે રેડ એલર્ટ જાહેર કરતાં ચેતવણી આપી છે કે હજી પણ વધુ ભારે વરસાદ પડી શકે છે. આ જ પ્રકારની ચેતવણી નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા માટે જારી કરવામાં આવી છે. પૂર્વોત્તર ભારતમાં વરસાદ જાણે વરસાદ ન રહેતા સતત વરસતો રહેતો જળધોધ બની ગયો હોય તેવી સ્થિતિ છે. તેના કારણે નદીઓ કાંઠા તોડીને બધે ફેલાઈ ગઈ છે, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે. 

આસામમાં વધુ બે મોત સાથે પૂર અને ભૂસ્ખલનથી મૃત્યુનો આંકડો દસ પર પહોંચ્યો છે. ૨૦ જિલ્લાના ચાર લાખ લોકો અસર પામ્યા છે. સત્તાવાર અહેવાલ મુજબ બ્રહ્મપુત્રા અને ધનસિરી મુજબ સાત નદીઓ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. આસામના મુખ્યપ્રધાન હિમન્તા બિસ્વા સરમાએ ચેતવણી આપી છે કે નીચાણવાળા વિસ્તારો અને નદીકાંઠાના વિસ્તારોમાં સ્થિતિ હજી વણસી શકે છે. 

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સીએમ હિમન્તા સાથે વાત કરી છે અને કેન્દ્રના પૂરેપૂરા સમર્થનની ખાતરી આપી છે. સમગ્ર રાજ્યમાં રાહત અને બચાવ કાર્ય માટે ભારતીય હવાઇદળને ખડેપગે રાખવામાં આવ્યું છે. આસામ-અરૂણાચલ પ્રદેશ પર ફસાયેલા ૧૪ વ્યક્તિને બચાવી લેવાયા છે. ભારે વરસાદના લીધે રસ્તો, રેલ્વે અને ફેરી સર્વિસ બધા પર અસર પડી છે. નેશનલ હાઇવે-૧૭ ક્ષતિગ્રસ્ત થતાં વાહનવ્યવહાર થંભી ગયો છે. ટ્રેક પર પાણી ભરાઈ જવાના લીધે ચાર ટ્રેન રદ કરવામાં આવી છે. આસામ સરકારે ભૂસ્ખલનમાં મૃત્યુ પામેલાઓ માટે ચાર લાખ રૂપિયાનું વળતર જાહેર કર્યું છે. લગભગ ૩,૫૦૦ હેક્ટર જમીન ડૂબમાં ગઈ છે. ૭૦૦ ઢોરઢાંખર માર્યા ગયા છે. ૫૨ કેમ્પમાં દસ હજાર લોકોને આશ્રય આપવામાં આવ્યો છે. ચાર જિલ્લાના ૪૧ હજારથી વધુ અસરગ્રસ્ત માટે ૧૦૩ વિતરણ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments