બનાસકાંઠા જીલ્લાના ભાભર તાલુકાના બરવાળા ગામમાં વિકાસના કામોમાં મોટો ભષ્ટ્રાચાર થતો હોવાની ફરીયાદો ઉઠી રહી છે અને લોકોની વારંવાર લેખિત રજુવાત છતાં જવાબદાર તંત્ર આંખ આડા કાન કરી કોઈ પગલાં લેવામાં આવતા નથી તેવી ફરીયાદો ઉઠી છે.
રાજ્ય સરકાર દ્વારા દરેક ગ્રામ પંચાયતને સફાઈ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. પરંતુ મોટાભાગની પંચાયત કચેરીના સરપંચ અને તલાટી કમ મંત્રીઓ સફાઈની ગ્રાન્ટ કાગળ ઉપર કામગીરી બતાવી ચાઉં કરી જતા હોવાનાં આક્ષેપો લોકો કરી રહ્યા છે. ભાભર તાલુકાના બરવાળા ગામની મુલાકાત લેવામાં આવી હતી તો ગ્રામ પંચાયત કચેરીની અંદર અને આજુબાજુ કચરાના ઢગ જોવા મળ્યા હતા. જો ગામની વહિવટ ચલાવવા માટે ની મુખ્ય જગ્યા એવી પંચાયત કચેરી માં સાફ સફાઈ નો અભાવ અને ગંદકી હોય તો ગામની અન્ય જગ્યાઓ ની હાલત શું હશે..? તેવા સવાલો ઉઠી રહ્યા છે. અને કચેરીને સાફ સફાઈ ની ગ્રાન્ટ નહીં મળતી હોય કે પછી કાગળ ઉપર વપરાય છે તેવા આક્ષેપ ગામમાં ઉઠી રહ્યા છે. તેમજ ગામમાં પાણી છેલ્લા એક મહિનાથી આવતું નથી જેના કારણે પાણીના હવાડા સુખા ભઠ્ઠ છે ગામમાં ૫૦૦ જેટલી ગાયો અને અન્ય પશુઓ પાણી વગર તરસી રહ્યાં છે જેના કારણે પશુપાલકો પાણી માટે પોકાર કરી રહ્યા છે પરંતુ કોઈ સાંભળતું નથી તેવી ફરીયાદો ગામમાં ઉઠી રહી છે. જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ભાભર તાલુકાની બરવાળા જેવી ગ્રામ પંચાયતોની ઓચિતિ મુલાગત કરવામાં આવે તો ગામ લોકોની સુખાકારી માટે વપરાતી ગ્રાન્ટમાં થયેલા મોટો ભ્રષ્ટાચાર સામે આવે તેવી શક્યતા દેખાઈ રહી છે.
આ બાબતે તલાટી કમ મંત્રીની મુલાકાત કરી સફાઈ ન થતી હોવા અને પાણીના પ્રશ્ને પુછતાં ઉડાઉ જવાબ આપ્યો હતો તેમણે જણાવ્યું કે ગામ લોકો દ્વારા મારાં વિરોધ 519 અરજીઓ કરી છે તો આવા ગામનો હું સા માટે વિકાસ કરું તેવો જવાબ આપી ગામ સામે ખુદ તલાટી એ નારાજગી વ્યક્ત કરી હતી. આ બાબતે કાનજીભાઈ સોલંકી એ જણાવ્યું હતું કે અમારા ગામમાં પાણી આવતું નથી જેના કારણે ગાયો તરસી રહી છે અને લોકોને પીવાના પાણી મળતું નથી અને સાફ સફાઈ થતી નથી તલાટી અને વહીવટદાર ને કહેતા અમારી કોઈ જવાબદારી નથી તમારી રીતે કામ પાણી મેળવો અમારી પાસે કોઈ ગ્રાન્ટ નથી તેવા જવાબો આપે છે અમોએ છેકે ગાંધીનગર સુધી રજુઆત કરી છે પણ કોઈ સાંભળતું નથી ત્યારે આ બાબતે ગામના રવિ દેસાઈ એ જણાવ્યું હતું કે અમારા ગામમાં એક મહિનાથી પાણી આવતું નથી હવાડા ખાલી છે મારી પાસે ૫૦ ગાયો છે તરસી રહે છે
Reporter : સિદ્ધરાજ ઠાકોર અસાણા