ભરૂચ જીલ્લાના હાંસોટ તાલુકામાં આવતીકાલે ઉજવાનારા બકરી ઈદના તહેવારને લઈને શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. હાંસોટ પોલીસ મથક ખાતે પી.આઈ વી.એ.લાકોડની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ તાલુકા મથક હાંસોટ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં બકરી ઈદના તહેવારની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરવાનો હતો. પોલીસ અધિકારીએ બંને કોમના લોકોને તહેવારની શાંતિપૂર્ણ ઉજવણી કરવા અપીલ કરી હતી. શાંતિ સમિતિની બેઠકમાં ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. બેઠકમાં કોમી એખલાસ જાળવી રાખવા અને તમામ ધર્મના તહેવારોની શાંતિપૂર્ણ ઉજવણી માટે ચર્ચા કરવામાં આવી હતી.
Reporter : કેતન મહેતા, હાંસોટ