Madhya Pradesh Accident News : મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના થાંદલા-મેઘનગર નજીક સંજેલી રેલવે ફાટક પાસે એક ભીષણ માર્ગ અકસ્માત સર્જાયો હતો. રાતે લગભગ 2:00 વાગ્યે નિર્માણાધીન ઓવર બ્રિજ નજીક વળાંક પર જ્યારે ટ્રક વળી રહ્યો હતો તે સમયે જ કાર સાથે ભીષણ ટક્કર થતાં કારનો કચ્ચરઘાણ થઇ ગયો હતો. જેમાં કુલ 9 લોકોના મોતના અહેવાલ મળ્યાં છે.
માહિતી અનુસાર મૃતકોમાં આઠ લોકો થાંદલાની નજીક આવેલા શિવગઢ મહુદાના વતની હતા. જ્યારે અન્ય એક મૃતક વ્યક્તિ શિવગઢની નજીકના ગામડાનો રહેવાશી હતી. આ તમામ લોકો એક જ પરિવારના હોવાનો દાવો કરાયો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે ધસી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.