જામનગરમાં નાગમતી નદી ના કિનારે રણજીત સાગર રોડ પર અલગ અલગ બે સ્થળોએ ડિમોલીશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેના માટે 6 JCB મશીન અને 4 ટ્રેક્ટર, 1 હિટાચી મશીન સહિતની મશીનરી કામે લગાડવામાં આવી છે, અને 33 ગેરકાયદેસર દબાણકારોને નોટિસ પાઠવ્યા બાદ મેગા ડિમોલીશન કરવામાં આવ્યું છે. અને અંદાજે ૬૬ હજાર ફૂટ જગ્યા ખુલ્લી કરાવવામાં આવી રહી છે. જેની અંદાજિત કિંમત એકાદ કરોડ ગણાવાઇ રહી છે.
શહેરમાં વરસાદી પાણી ન ભરાય તે માટે આ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે જેમાં મનપા ના 100 થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ કામે લાગ્યા છે, અને ભારે પોલીસ પહેરા હેઠળ મેગા ડિમોલીશન હાથ ધરાયું છે. રિવર ફ્રન્ટ પ્રોજેક્ટને લઈને કાલાવડ નાકા બહારથી લઈને છેક નાગેશ્વર વિસ્તાર સુધીમાં નદીના પટમાં ખડકી દેવાયેલા દબાણોને દૂર કરવા માટેની કાર્યવાહી હાથ ધરાઈ હતી.ત્યારબાદ એક દિવસ નો વિરામ લઈને આજે સવારે નાગમતી નદી કિનારે જુદા જુદા બે સ્થળોએ તંત્ર દ્વારા મેગા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું છે, અને ૩૩ જેટલા ગેરકાયદે દબાણો દૂર કરીને અંદાજે ૬૬,૦૦૦ ફૂટ જગ્યા ખુલ્લી કરાવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મનપાની એસ્ટેટ શાખા ની ટીમ, ટીપીઓ શાખા ની ટીમ, ફાયર વિભાગની ટુકડી વગેરે મળી ૧૦૦ થી વધુ કર્મચારીઓ આજના મેગા ડીમોલેશનમાં જોડાયા હતા, અને અલગ અલગ બે ટીમો બનાવાઈ હતી. સમગ્ર ડીમોલેસનની કાર્યવાહી હાથ ધરવા માટે 6 JCB મશીનો, 1 હિટાચી મશીન, 4 ટ્રેક્ટર સહિતની મશીનરીના ઉપયોગ કરવામાં આવ્યો છે, અને વહેલી સવારથી પાડતોડની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે તથા મોટો પોલીસ કાફલો બંદોબસ્તમાં જોડાયો છે, જેમાં બન્ને સ્થળે અંદાજે એકાદ કરોડ ની જગ્યા ખુલ્લી કરાવાઈ રહી છે.