E-Paper
Friday, June 6, 2025
E-Paper
HomeTop News'રાજકીય પક્ષો વચ્ચે પરસ્પર સમજણ બનેલી રહેવી જોઈએ', RSSના વડા મોહન ભાગવતનું...

‘રાજકીય પક્ષો વચ્ચે પરસ્પર સમજણ બનેલી રહેવી જોઈએ’, RSSના વડા મોહન ભાગવતનું મોટું નિવેદન

RSS Chief Mohan Bhagwat Statement: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે ગુરૂવારે કહ્યું કે, પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત તરફથી કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન દેશના રાજકીય બિરાદરીએ જે પરસ્પર સમજણ બતાવી, તે બનેલી રહેવી જોઈએ અને તે કાયમી સ્વરૂપ લેવી જોઈએ. તેમણે નાગપુરમાં સ્વયંસેવકો માટે એક તાલીમ કાર્યક્રમ ‘કાર્યકર્તા વિકાસ વર્ગ’ ના સમાપન પ્રસંગે આ વાત કહી.

ભાગવતે કહ્યું કે, આ આતંકવાદી હુમલા બાદ લોકો દુઃખી અને ક્રોધિત હતા. તેઓ ઈચ્છતા હતા કે દોષિતોને સજા મળે. કાર્યવાહી કરાઈ અને સજા પણ આપવામાં આવી. આપણી સેનાએ એકવાર ફરીથી પરાક્રમ બતાવ્યું. તંત્રની દઢતા પણ જોવા મળી. સમાજે પણ એકતાનો સંદેશ આપ્યો. રાજકીય પક્ષોએ પણ એકબીજાને સમજદારી બતાવી, જે આગળ પણ બની રહેવી જોઈએ.

મણે કહ્યું કે, ‘ભારતને પોતાની સુરક્ષાના મામલાઓમાં આત્મનિર્ભર બનવું પડશે. જે(પાકિસ્તાન) દેશ ભારત સાથે સીધું યુદ્ધ નથી જીતી શકતું. તેઓ હજાર જખમોની નીતિ હેઠળ પરોક્ષ યુદ્ધ કરીને ભારતને નબળું કરવાનો પ્રયાસ કરે છે.’

સમારોહમાં છત્તીસગઢના વરિષ્ઠ આદિવાસી નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અરવિંદ નેતામ મુખ્ય મહેમાન હાજર હતા. તેમણે કહ્યું કે, ‘અત્યાર સુધી કોઈપણ રાજ્ય સરકારે ધર્માંતરણના મુદ્દાને ગંભીરતાથી નથી લીધો. મને લાગે છે કે આરએસએસ જ એકમાત્ર સંસ્થા છે જે આ દિશામાં મદદ કરી શકે છે.

નક્સલવાદ ખતમ થયા બાદ કેન્દ્ર સરકારને એક નક્કર કાર્યવાહીની યોજના બનાવવી જોઈએ, જેથી આ ફરીથી માથું ઉચકી ન શકે. 1996ની પંચાયત અધિનિમય (પેસા) હજુ સુધી કોઈપણ સરકારે બરાબર રીતે લાગૂ નથી કરી. કેન્દ્ર સરકાર આ મુદ્દે મૌન છે અને ઉદ્યોગપતિઓની મદદ કરી રહી છે.’

પેસા અધિનિયમનો ઉદ્દેશ્ય અનુસૂચિત જનજાતિ વિસ્તારોમાં ગ્રામસભાઓને અધિકાર આપવાનો છે, જેથી તેઓ પોતાના સંસાધનોનું સંચાલન કરી શકે છે અને સમુદાય સંબંધિત પોતાના નિર્ણયો લઈ શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments