E-Paper
Friday, June 6, 2025
E-Paper
HomeBreaking Newsરાષ્ટ્રીય : દહેરાદૂનમાં ભાજપ નેતાની ગોળી મારીને હત્યા

રાષ્ટ્રીય : દહેરાદૂનમાં ભાજપ નેતાની ગોળી મારીને હત્યા

: દહેરાદૂનમાં ભાજપ નેતાની ગોળી મારીને હત્યા
: મહિલા મિત્રને લઈને થયો ઝઘડો
: પોલીસે હત્યારાની શોધખોળ કરી શરુ

દહેરાદૂન :પ્રેમ નગર વિસ્તારમાં સ્થાનિક ભાજપ નેતા રોહિત નેગીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હોવાનું કહેવાય છે. પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના સોમવારે મધ્યરાત્રિ પછી માંડુવાલાના પીપલ ચોકમાં બની હતી. નેગી તેના કેટલાક મિત્રો સાથે ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે યુપીના મુઝફ્ફરનગરના રહેવાસી અઝહર ત્યાગીએ કથિત રીતે તેમની કાર પર સામેથી ગોળીબાર કર્યો હતો.

અઝહર ત્યાગી મોટરસાઇકલ પર આવ્યો અને નેગીના ગળા પર ગોળી મારી દીધી. પોલીસના જણાવ્યા અનુસાર, નેગીના મિત્રોએ તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ ગયા જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. પ્રાપ્ત માહિતી અનુસાર, રાજધાની દેહરાદૂનના સેલાકી વિસ્તારનો રહેવાસી રોહિત નેગી પ્રોપર્ટી ડીલિંગનું કામ કરતો હતો, જેના મિત્રની મુસ્લિમ સમુદાયની એક છોકરી સાથે મિત્રતા હતી, જેના કારણે બંને સાથે રહેતા હતા. પરંતુ મૂળ ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરના રહેવાસી અઝહર મલિકને આ ગમ્યું નહીં અને તેના કારણે રોહિત અને અઝહર વચ્ચે દુશ્મનાવટ શરૂ થઈ ગઈ. એસપી સિટી પ્રમોદ શાહે જણાવ્યું હતું કે નેગીના મિત્ર અભિષેક બર્ટવાલની ફરિયાદના આધારે, પોલીસે હત્યાનો કેસ નોંધ્યો છે અને ત્યાગીની શોધ શરૂ કરી છે. પોલીસ ઘટનાના તમામ સંભવિત પાસાઓની વિગતવાર તપાસ કરી રહી છે. બદમાશોને પકડવા માટે ચાર ટીમો બનાવવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments