E-Paper
Saturday, June 7, 2025
E-Paper
HomeGujaratAhmedabadલાઈટ વિભાગની બેદરકારી મેયર,કમિશનર બંગલાની બહાર વીજપોલના વાયર જોખમી હાલતમાં

લાઈટ વિભાગની બેદરકારી મેયર,કમિશનર બંગલાની બહાર વીજપોલના વાયર જોખમી હાલતમાં

હેપ્પી સ્ટ્રીટ,રિવરફ્રન્ટ હાઉસ,કેટલાક બ્રિજ ઉપર પણ વીજવાયર બહાર નીકળેલા છે

ચોમાસામાં ખુલ્લા વીજ વાયરને ના અડવા સહિતની એડવાઈઝરી જાહેર કરતા મ્યુનિસિપલ કોર્પોરેશનના લાઈટ વિભાગની બેદરકારી છતી થઈ છે.મેયર, મ્યુનિસિપલ કમિશનર બંગલાની બહાર આવેલા વીજ પોલના વાયર બહાર નીકળેલા તથા જોખમી હાલતમાં જોવા મળ્યા છે. હેપ્પી સ્ટ્રીટ, રિવરફ્રન્ટ હાઉસ તેમજ કેટલાક બ્રિજ ઉપર પણ વીજપોલના વાયર બહાર નીકળી આવ્યા છે.

ચોમાસામાં વીજવાયરને લઈ કોઈ દુર્ઘટના થશે તો તેની જવાબદારી નાગરિકો ઉપર ઢોળી દેવામાં આવશે.શહેરના મેયર પ્રતિભા જૈન તથા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીના બંગલાની બહાર આવેલા વીજપોલના બોકસ અને વાયરો બહાર નીકળી આવેલા જોવા મળ્યા છે. આ ઉપરાંત ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રિધ્ધેશ રાવલના બંગલાની સામે પણ આ પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી  છે.લોગાર્ડન ખાતે આવેલી હેપ્પી ફુડ સ્ટ્રીટ, મ્યુનિસિપલ કમિશનર અને અન્ય અધિકારીઓ જયાં બેસીને કામગીરી કરે છે એવા રિવરફ્રન્ટ હાઉસની બહારના રોડ ઉપર પણ વીજપોલના બોકસમાંથી વીજવાયરો બહાર નીકળેલા જોવા મળી રહયા છે.લોકોને ખુલ્લા વીજવાયરથી સાવચેત રહેવાની અપીલ કરી જવાબદારીમાંથી  હાથ અધ્ધર કરી દેનારા લાઈટ વિભાગના અધિકારીઓ રાઉન્ડમાં નીકળતા નથી એ બાબત સ્પષ્ટ દેખાઈ આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments