વાઘોડિયા તાલુકાના વાઘોડિયા પછીનું વેપાર ઉધોગો થી હરહંમેશ ધબકતું હાલોલ થી વડોદરા ના ધોરીમાર્ગ પર ના જરોદ ગામ નાં હાટૅસમા બજારો થી માંડીને રહેણાંક વિસ્તારોમાં દિન પ્રતિદિન સ્થાનિક વહીવટીતંત્ર ની બેદરકારી ના કારણે આખલા ઓ ની જમાવટ થતાં જાહેર જનતા માં દિન પ્રતિદિન ભય ની લાગણી પ્રસરી રહી છે સ્થાનિક જરોદ ગામમાં રહેતા માલધારીઓ ના મતે જાણવા મળ્યા મુજબ બહાર ગામ ના રહિશો દ્વારા વાહન મારફતે રાત્રીના આખલા ઓ ને જરોદ ગામે છોડી જતા હોવાનું કહેવાય છે ત્યારે જરોદ વહિવટી તંત્ર ઘોર નિદ્રામાં પોઢી રહી હોવાથી સૌ ગ્રામ જનો સહિત જરોદ બજારમાં આવતા ગ્રાહકો પણ ભયભીત બનતા હોય છે ત્યારે જાહેર જનતા બિનજરૂરી ભયભીત બની રહિ છે તે અંગે ની જરુરી યોગ્ય કામગીરી સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા કરાય તેવું ગ્રામ જનો ઇચ્છી રહ્યા છે.
REPORTER : કિશન રોહિડા જરોદ