ગઇકાલે એક જ દિવસમાં રાજ્યમાં કોરોનાના નવા 108 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 461 પર પહોંચી છે
રાજ્યમાં કોરોના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ગઇકાલે એક જ દિવસમાં રાજ્યમાં કોરોનાના નવા 108 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 461 પર પહોંચી છે. હાલ 20 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રાજ્યમાં 441 દર્દીઓ હોમ આઈસોલેશનમાં છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 43 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં કોરોનાના કારણે એક દર્દીનું મોત નિપજ્યું છે
રાજ્યમાં સૌથી વધુ કોરોના દર્દીઓ અમદાવાદ શહેરમાં નોંધાઈ રહ્યા છે. શહેરમાં સક્રિય કોરોના ચેપગ્રસ્ત કેસોની સંખ્યા 300 ને વટાવી ગઈ છે. આરોગ્ય વિભાગનું કહેવું છે કે તાજેતરમાં જે કોરોના દર્દીઓ સામે આવી રહ્યા છે તે ઓમિક્રોન પેટા પ્રકારના વેરિઅન્ટ LF 7.9 અને XFG ના છે. આ વેરિઅન્ટના લક્ષણો હળવો તાવ, શરદી અને ખાંસી છે.
ગઇકાલે મહારાષ્ટ્રમાં કોરોનાના ૮૬ નવા કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં આ વર્ષે ૧ જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કુલ ૯૫૯ લોકો આ વાયરસથી સંક્રમિત થયા છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં ૪૩૫ દર્દીઓ સાજા થયા છે. ૫૧૦ સક્રિય કેસ છે. સોમવારથી અત્યાર સુધીમાં ૪ દર્દીઓના મોત થયા છે. આમાંથી નાગપુરમાં ૨, ચંદ્રપુર અને મિરાજમાં ૧-૧ દર્દીનું મોત થયું છે. ૮૬ નવા કેસોમાં ૨૬ મુંબઈના, ૨૪ પુણેના, ૯ થાણેના, ૬ નવી મુંબઈના, ૧ કલ્યાણ અને ઉલ્હાસનગરના, ૩ પિંપરી-ચિંચવડના, ૨ કોલ્હાપુર અને નાગપુરના અને ૪ સાંગલીના છે.