E-Paper
Friday, June 6, 2025
E-Paper
HomeGujaratસુરેન્દ્રનગર એ-ડિવીઝન પોલીસ પર આરોપીને છાવરવાનો આક્ષેપ

સુરેન્દ્રનગર એ-ડિવીઝન પોલીસ પર આરોપીને છાવરવાનો આક્ષેપ

સુરેન્દ્રનગર -સુરેન્દ્રનગર   હેરના રામનગર વિસ્તારમાં બકડિયાને રિક્ષાનું ટાયર અડી જતા બોલાચાલી થઈ હતી જેમાં મામલો ઉગ્ર બનતા ચાર શખ્સોએ તલવાર વડે હુમલો કરી જોગેશભાઈ પાટડીયાને ઈજાઓ પહોંચાડી હતી જે દરમ્યાન વચ્ચે બચાવવા તેમનો કૌટુંબિક ભત્રીજો દશરથ ઘનશ્યામભાઈ ગેલડીયા વચ્ચે પડતા તેના માથામાં પર પણ કલવારના ઘા ઝીંકી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જે મામલે એ-ડિવીઝન પોલીસ મથકે ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી. 

બનાવના સાત દિવસ જેટલો સમય બાદ પણ પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવામાં ન આવતા યુવકના પરિવારજ સહિત ઠાકોર સમાજના આગેેવાનોએ કલેકટર તેમજ ડીએસપી કચેરી ખાતે લેખિત રજૂઆત કરી હતી. જેમાં હુમલો કરનાર પાંચ શખ્સો હોવા છતાં પોલીસ દ્વારા એક શખ્સ લાલાભાઈ ભીમાભાઈ સોરીયાનું નામ ફરિયાદમાં દાખલ કરવામાં ન આવ્યું હોવાનો અને હત્યાનો પ્રયાસ સહિતની કલમ ફરિયાદમાં દાખલ ન કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમજ હુમલો કરનાર શખ્સો માથાભારે અને અસામાજીક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હોવાથી પરીવારજનોના જીવને પણ ખોખમ હોવાનું જણાવ્યું હતું.રજૂઆતકર્તાઓએ ન્યાયની માંગ સાથે હુુમલો કરનાર તમામ આરોપીઓને ઝડપી પાડી, અન્ય એક આરોપીનું નામ ફરિયદમાં દાખલ કરવાની અને હત્યાનો પ્રયાસ કલમનો ઉમેરો કરવાની માંગ સાથે કલેકટર અને ડીએસપી કચેરી ખાતે ઉગ્ર રજુઆત કરી હતી. તેમજ આગામી દિવસોમાં કોઈ ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments