E-Paper
Friday, June 6, 2025
E-Paper
HomeIndia70 વર્ષ લિવ ઇનમાં રહ્યા પછી ૯૫ વર્ષના વરરાજા અને 90 વર્ષની...

70 વર્ષ લિવ ઇનમાં રહ્યા પછી ૯૫ વર્ષના વરરાજા અને 90 વર્ષની વધૂએ લગ્ન કર્યા

– રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાનો અનોખો કિસ્સો

– વયોવૃદ્ધ દંપતીને આઠ સંતાનોમાં ચાર પુત્ર અને ચાર પુત્રી અને તેમાં પણ ચાર જણને સરકારી નોકરી

ઉદયપુર : રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના ગલંદર ગામમા એક અનોખા અને પ્રેરણાદાયક લગ્ન જોવા મળ્યા. અહીં ૭૦ વર્ષ સુધી લિવ ઇનમાં રહેલા ૯૫ વર્ષના રામાભાઈ અંગારી અને ૭૦ વર્ષના જીવલી દેવીએ પરંપરાગત રીતરિવાજથી લગ્ન કરી એક નવું જ ઉદાહરણ પ્રસ્થાપિત કર્યુ. લગ્ન વગર પણ બંને વચ્ચે જીવનસાથી તરીકેનો સંબંધ આજીવન મજબૂત રહ્યો. તેમણે ક્યારેય સામાજિક રીતે લગ્ન કર્યા ન હતા. 

તેમને ચાર પુત્રો અને ચાર પુત્રી સહિત આઠ સંતાન છે. તેમના પણ સંતાનો છે એટલે કે તેઓ દાદાદાદી બની ચૂક્યા છે. આ દંપતીએ સમાજ સામે લગ્ન કરવાની ઇચ્છા જાહેર કરી હતી, જેનો તેમના બાળકોએ આનંદપૂર્વક સ્વીકાર કર્યો હતો. 

પહેલી જૂનના રોજ હલદી અને લગ્નની રસમો થઈ. તેના પછી પાંચ જુને ગામમાં ડીજેની ધુન પર જાન કાઢવાામાં આવી. તેમના લગ્નમાં તેમના સંતાન અને પૌત્રો પણ મન મૂકીને નાચ્યા હતા. તેના પછી રીતરિવાજ મુજબ સાત ફેરા લેવામાં આવ્યા. સાત ફેરા લઈ તેઓ પતિપત્ની બન્યા અને એકબીજાને જીવનસાથીના સ્વરૂપમાં સ્વીકાર્યા. આ ઉપરાંત સામૂહિક ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમા પૂરા ગામે ભાગ લીધો. 

રામાભાઈ અંગારીએ ગુજરાતમાં જીવનભર કૂવા ખોદ્યા હતા અને ખેતીવાડી કરી કુટુંબનું લાલનપાલન કર્યુ હતું. જીવલી દેવીએ પણ ૧૨ વર્ષ સુધી માડા સંસ્થામાં હેન્ડલૂમ પર કામ કર્યુ હતુ. તેના પછી આંખોની રોશની ઘટતા ખેતીવાડી સંભાળી હતી. આ વૃદ્ધ દંપતીને આઠ સંતાનમાં ચાર પુત્રો અને ચાર પુત્રી છે. ૬૦ વર્ષનો પુત્ર બખુ બારાડી ખેડૂત છે, ૫૭ વર્ષનો શિવરામ, ૪૮ વર્ષનો કાંતિલાલ અને ૫૩ વર્ષની સુનીતા સરકારી શિક્ષક છે. જ્યારે ૫૦ વર્ષની અનિતા સરકારી નર્સ છે. ૪૪ વર્ષનો ચોથો પુત્ર લક્ષ્મણલાલ ખેતીવાડી જુએ છે. ત્રીજી પુત્રી જંતુનું ૫૫ વર્ષની વયે નિધન થયું હતું. જ્યારે સૌથી નાની પુત્રી સીતાના લગ્ન કરાવી દેવાયા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments