E-Paper
Saturday, June 7, 2025
E-Paper
HomeIndia8 જૂન,વિશ્વ મહાસાગર દિવસ, મહાસાગરના ખારા પાણીમાં છોડ, દરિયાઇ જીવસૃષ્ટિ અને અસંખ્ય...

8 જૂન,વિશ્વ મહાસાગર દિવસ, મહાસાગરના ખારા પાણીમાં છોડ, દરિયાઇ જીવસૃષ્ટિ અને અસંખ્ય વિશાળ જીવોનુ નિવાસસ્થાન છે

જુદા જુદા દિવસો વર્ષ દરમ્યાન દિવસો ઉજવાય છે પણ પૃથ્વી પર જ્યાં ત્રણ ભાગ પાણી છે એવા મહાસાગર નો પણ વિશેષ દિવસ ઉજવાય છે. હા,8 મી જૂને દર વર્ષે વિશ્વ મહાસાગર દિવસ ઉજવાય છે. આ દિવસ આપણને મહાસાગરનુ કેટલું વિશેષ મહત્વ છે તે સમજાવે છે.

આપણી નંદનવન સમી પૃથ્વી પર જીવન માટે પાણીની ખૂબ મહત્વની ભૂમિકા છે. કોઇ પણ માણસનું જીવન પાણી વગર શક્ય નથી. પરંતુ આજની કડવી વાસ્તવિકતા એ છે કે પૃથ્વી પર મોટા ભાગનું પાણી માણસ માટે પીવા લાયક નથી.આપણા ગ્રહનો ત્રણ ચતુર્થાંશ ભાગ વિશ્વના મહાસાગરોથી ઘેરાયેલો છે, જે અસંખ્ય જીવંત પ્રાણીઓ માટેનું રહેઠાણ છે. પૃથ્વીના બે તૃતિયાંશ ભાગમાં પાણી હોવાછતાં અહીં શુદ્ધ પાણીનું પ્રમાણ ખૂબ જ ઓછુ છે.આજે પણ પાણીની તંગી અનેક દેશો અનુભવી રહ્યા છે. સમુદ્રથી ઘેરાયા હોવાને કારણે પૃથ્વીને વોટર પ્લેનેટ પણ કહેવામાં આવે છે. પરંતુ હવે તેનું અસ્તિત્વ જોખમમાં છે. તેને ધ્યાનમાં રાખતા મહાસાગરનું મહત્ત્વ, તેમાં વધી રહેલા પ્રદૂષણ, તેનું જોખમ અને સમુદ્રના સંરક્ષણ પ્રત્યે લોકોમાં જાગૃકતા ફેલાવવાના હેતુથી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા દર વર્ષે 8 જૂને વિશ્વ મહાસાગર દિવસ એટલે કે વિશ્વ સમુદ્ર દિવસ મનાવવામાં આવે છે.

આમ, તો પૃથ્વી પર 3/4 ભાગ પાણી છે.તે મહાસાગરોમાં જ છે, પરંતુ જે પાણી માણસ પોતાના ઉપયોગ માટે વાપરે છે તે નદીઓ કે જળાશયો દ્વારા આવે છે. જે વરસાદ દ્વારા ભરાય છે. વરસાદનું આ પાણી મહાસાગરોમાં થયેલ બાષ્પીભવનની પ્રક્રિયા બાદ વાદળોનું સ્વરૂપ ધારણ કરે છે અને તેનાથી વરસાદ થાય છે. તો વિશ્વના અડધાથી વધુ ભાગના લોકોને ભોજન માટે માછલીઓ મળે છે. આ રીતે માનવ જીવન પણ મહાસાગરો પર ઘણી રીતે આધાર રાખે છે. તેવામાં મહાસાગરોને સાફ રાખવાની જવાદારી પણ એટલી જ મહત્વની છે. તે ખંડો અને દ્વીપસમૂહ દ્વારા ચાર ભાગોમાં વહેંચાયેલુ છે. પેસિફિક મહાસાગરને ઊંડાણ અને વિસ્તાર બંનેમાં સૌથી મોટો ગણવામાં આવે છે. તેમાં મારિયાના ટ્રેન્ચ છે, જે સમગ્ર મહાસાગરોમાં સૌથી ઊંડું સ્થાન છે. તેનું સૌથી ઊંડું બિંદુ – ચેલેન્જર એબિસ સમુદ્ર સપાટીથી લગભગ 11 કિલોમીટરના અંતરે સ્થિત છે. અને અહીં પણ જીવંત જીવો છે . મહાસાગરો ઘણા રહસ્યોથી ભરપૂર છે.

કેમ મનાવવામાં આવે છે આ દિવસ? :-

કેનેડા સરકારે વર્ષ 1992માં રિયો ડી જનેરિયોમાં આયોજિત પૃથ્વી સંમેલન દરમિયાન વિશ્વ મહાસાગર દિવસની સ્થાપનાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ત્યારબાદ સંયુક્તે રાષ્ટ્રે ડિસેમ્બર વર્ષ 2008માં 8 જૂનને વિશ્વ મહાસાગર દિવસને સત્તાવાર રીતે મનાવવાની માન્યતા આપી હતી. ત્યારથી દર વર્ષે 8 જૂનને વિશ્વ મહાસાગર દિવસ મનાવવામાં આવે છે.

દર વર્ષે આ દિવસ મનાવવા પાછળનો હેતુ મહાસાગરના મહત્ત્વથી લોકોને વાકેફ કરાવવાનું છે કે કેવી રીતે મહાસાગર ખાદ્ય સુરક્ષા, જૈવ વિવિધતા, પરિસ્થિતિ સંતુલન જેવી ચીજવસ્તુઓમાં પોતાની મહત્ત્વની ભૂમિકા નિભાવે છે. દેશોના વિકાસ સાથે જ મહાસાગરોનું પ્રદૂષણ પણ ઝડપથી વધી રહ્યું છે. મહાસાગરોમાં વધતા પ્લાસ્ટિક પ્રદૂષણના કારણે મહાસાગર ધીમે-ધીમે ગંદા થઇ રહ્યા છે. તેનાથી દરિયાઇ જીવોના સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડે છે. તેઓ ભૂલથી પ્લાસ્ટિકને પોતાનું ભોજન સમજી લે છે જે તેમના માટે જીવલેણ સાબિત થઇ શકે છે. જે ખુબ જ દુખદ છે.

દુનિયાની લગભગ 30 ટકા વસતી દરિયા કિનારાના વિસ્તારમાં રહે છે અને તેમનું જનજીવન સમગ્રપણે સમુદ્ર પર નિર્ભર છે. આ ઉપરાંત વિશ્વના કેટલાય દેશની અર્થવ્યવસ્થાને પણ વેગ પ્રદાન કરવામાં મહાસાગરનું મોટું યોગદાન હોય છે. વિશાળ મહાસાગરથી પેટ્રોલિયમની સાથે જે અનેક સંસાધનો પણ પ્રાપ્ત થાય છે. એક અંદાજ અનુસાર, લગભગ 10 લાખ જીવોની પ્રજાતિઓનું ઘર સમુદ્ર જ છે. આ ઉપરાંત વાતવરણમાં થતા ફેરફાર અને જળવાયુ પરિવર્તનની માહિતી આપવામાં પણ મહાસાગરનું મહત્ત્વનું યોગદાન હોય છે.

મહાસાગરની ધારાઓ 50 ટકા ઓક્સિજન પ્રદાન કરીને ગ્રહને ગરમ રાખે છે. મહાસાગરના ખારા પાણીમાં છોડ, દરિયાઇ જીવસૃષ્ટિ અને અસંખ્ય વિશાળ જીવો રહે છે. મહાસાગરમાંથી મળતું સી ફૂડ માનવ વસાહત માટે સૌથી મોટો લાભ છે.

મહાસાગર આર્થિક સ્થિતિને મજબૂત કરવા અને રોજગાર આપવામાં મહત્વની ભૂમિકા નિભાવે છે. સમુદ્ર આપણને ઘણું બધુ આપે છે. જેમાં સી ફૂડ, મૂંગા, ઓક્સિજન, ખોરાક અને હવા સામેલ છે. તેનાથી જળવાયુ બેલેન્સ રહે છે. સમુદ્રમાં મળતા સી ફૂડ પોષક તત્વોથી ભરપૂર હોય છે. સી ફૂડ એજિંગ પણ ધીમું કરે છે

વિશ્વ મહાસાગર દિવસનો ઉદ્દેશ્ય લોકોને મહાસાગરો પર માનવીય પ્રવૃત્તિના દુષ્પ્રભાવો અને તેના કારણે માનવ જીવનને થતા પ્રભાવ અંગે લોકોને સમજાવવાનો છે. માણસોના કારણે કચરો, જહાજો દ્વારા તેલનું દરિયામાં ફેલાવવું, માછલીઓ અને દરિયાઇ જીવોનો શિકાર એવી ઘટનાઓ છે જેનાથી દરિયાઇ જીવન ખરાબ રીતે પ્રભાવિત થઇ રહ્યું છે.

પૃથ્વીની જળવાયુની ઘણી પ્રક્રિયાઓ મહાસાગરોથી કોઇને કોઇ પ્રકારે જોડાયેલ છે. ત્યાં સુધી કે વાયુમંડળમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની માત્રા પણ મહાસાગરોથી પ્રભાવિત થાય છે.જે રીતે પૃથ્વી પરના જીવો વાયુમંડળમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું આદાન પ્રદાન કરે છે, તે જ રીતે મહાસાગરોમાં પણ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુમંડળમાંથી આવે છે. જળવાયુ પરિવર્તનથી વિશ્વના ઘણા વિસ્તારોમાં માત્ર જીવજંતુઓ જ નહીં પરંતુ તમામ પ્રક્રિયાઓ પ્રભાવિત થઇ રહી છે જે વાયુમંડળથી આ ગેસોનું આદાન પ્રદાન કરે

મહાસાગરોમાં તેલ:-

દરિયાઇ જીવન ધરતીના જીવનથી ખૂબ વિશાળ છે. પરંતુ જૈવવિવિધતા મહાસાગરોના પર્યાવરણનો સૌથી મહત્વનો ભાગ છે. પરંતુ માનવ સર્જિત પ્રવૃત્તિઓ તેને ખૂબ ખરાબ રીતે પ્રભાવિત કરે છે. તેમાં સમુદ્રમાં કચરો નાખવો સૌથી પ્રમુખ છે. તેમાં પણ કોઇ જહાજ કે સમુદ્રમાં તેલ ઉત્ખનની મહાસાગરોમાં તેલ ફેલાવવાની સૌથી ખતરનાક ઘટના છે. તેનાથી મહાસાગરોની સપાટીનું જીવન ખતમ થાય જ છે, પરંતુ સમુદ્રની અંદર ગેસ અને સૂર્યનો પ્રકાશ પણ અંદર જઇ શકતો નથી. જે દરિયાઇ જીવન માટે વિનાશ સર્જે છે.

દરિયાઇ કચરો:-

છેલ્લા થોડા સમયથી વિશ્વ ભરમાંથી સમુદ્રમાં ફેંકવામાં આવેલ પ્લાસ્ટિક દરિયાઇ જીવનની જૈવપ્રક્રિયાઓને ભારે નુકસાન પહોંચાડી રહ્યું છે. એટલું જ નહીં દરિયાઇ જહાજો અને તટીય શહેરો દ્વારા પણ પ્રદુષિત પાણી અને કચરાનો સીધો સમુદ્રમાં નિકાલ કરવામાં આવે છે, જે દરિયાઇ જીવો માટે જીવલેણ છે. પ્રદુષણથી હાનિકારક પદાર્થ માછલીઓના પેટમાં જાય છે અને તેમનું જીવન સંકટમાં મુકાય છે.

મહાસાગર પૃથ્વીની વસ્તી દ્વારા ઉત્પાદિત 30 ટકાથી વધુ કાર્બન ડાયોક્સાઇડને શોષવામાં સક્ષમ છે, જે ગ્લોબલ વોર્મિંગની અસરોને બેઅસર કરવામાં મદદ કરે છે.

મહાસાગરો પૃથ્વીની સપાટીના ત્રણ ચતુર્થાંશ ભાગ પર કબજો કરે છે, 97% જળ સંશાધનો ધરાવે છે, ગ્રહના 99% વિસ્તારને વોલ્યુમ દ્વારા આવરી લે છે અને ટકાઉ વિકાસની પ્રક્રિયાનો અભિન્ન ભાગ છે. આબોહવા નિયમનમાં મહાસાગરોની ભૂમિકા ભાગ્યે જ વધુ પડતી અંદાજ કરી શકાય છે, તે એક સિસ્ટમ-રચના છે, કારણ કે તેના પાણી કાર્બન ડાયોક્સાઇડના મુખ્ય શોષકોમાંનું એક છે.

મહાસાગરો પ્રોટીનનો વિશ્વનો સૌથી મોટો સ્ત્રોત પણ છે, લગભગ ત્રણ અબજ લોકો તેમના પ્રોટીનના મુખ્ય સ્ત્રોત તરીકે મહાસાગરો પર સંપૂર્ણપણે નિર્ભર છે. દરિયાઈ માછલીનો સ્ટોક, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે, 200 મિલિયનથી વધુ લોકોને રોજગાર પૂરો પાડે છે. મત્સ્યઉદ્યોગ સબસિડી ઘણી માછલીઓની પ્રજાતિઓના ઝડપી અવક્ષયનું કારણ બની રહી છે અને વિશ્વના માછલીના જથ્થાને બચાવવા અને પુનઃસ્થાપિત કરવાના પ્રયત્નોને અવરોધે છે. વિશ્વના 40% જેટલા મહાસાગરોને માનવીય પ્રવૃત્તિઓ દ્વારા “ભારે અસરગ્રસ્ત” ગણવામાં આવે છે, જેમાં પ્રદૂષણ, માછલીના ભંડારનો ઘટાડો અને દરિયાકાંઠાના રહેઠાણોના નુકશાનનો સમાવેશ થાય છે.

સતત વધી રહેલું ગ્લોબલ વોર્મિંગનું સંકટ તેની સાથે હિમશીલાઓ ઓગળવાની સાથે પૃથ્વીના તાપમાનમાં થઈ (World Oceans Day 2022)રહેલા સતત વધારાને કારણે સમુદ્રનું સ્તર ખૂબ ઊંચું આવી રહ્યું છે જેને લઇને સમગ્ર પૃથ્વી પર જીવન મુશ્કેલીમાં મુકાઈ શકે છે જેની ચિંતા કરીને વર્ષ 1992 થી 8 મી જૂનના દિવસે વિશ્વ મહાસાગર દિવસ ઊજવવાની શરૂઆત થઈ છે.

લેખક :દીપક જગતાપ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments