ગુજરાતમાં શ્વાન હોય કે રખડતા ઢોર બંનેનો આતંક યથાવત્ જોવા મળ્યો છે. અમદાવાદ, રાજકોટ બાદ ફરી એકવાર ગાંધીનગરમાં શ્વાનનો કિસ્સો સામે આવ્યો છે. શ્વાન ભસતા ગભરાઈને ભાગતા આધેડ ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. મોર્નિંગ વોક કરવા નીકળેલા આધેડ સાથે આ બનાવ બન્યો હતો. ઈજાગ્રસ્તે ફરિયાદ કરતા શ્વાન માલિકે દાદાગીરી કરી હતી.
અમદાવાદ બાદ ફરી ગાંધીનગરમાં પણ પાલતુ શ્વાનનો આતંક જોવા મળ્યો છે. મોર્નિંગ વોક કરવા નીકળેલા વ્યક્તિને શ્વાને લોહી લુહાણ કર્યા હતા. શ્વાન માલિક પણ શ્વાનને પટ્ટા વગર જ લઈને ફરતો હતો. આ દરમિયાન શ્વાને આધેડને ઘાયલ કર્યા હતા. ઇજાગ્રસ્ત વ્યક્તિએ ફરિયાદ કરતા શ્વાન માલિકે રોફ જમા આવ્યો હતો.
ગાંધીનગરની સાથે જ રાજકોટમાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે જેમાં એક સાથે 5 શ્વાને બાળકને ઘેરી કરડી ખાતા આયુષ યાદવ નામના 5 વર્ષના પરપ્રાંતીય બાળકનું મોત થયું છે. રાજકોટ નજીક શાપરમાં શ્રમિક પરિવાર છૂટક મજૂરી અર્થે આવ્યો હતો તો શ્વાને બાળકને પીંખી નાખતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને મૂળ બિહારના પટનાના રહેવાસી મજૂરી કામ માટે શાપર આવ્યા હતા. બાળકના પિતા કામ વતન જઈ રહ્યા હતા ત્યારે ઘટના ઘટી હતી. બાળકના મોતને લઈને ખબર પડતાં પિતાએ અધવચ્ચે રાજકોટ પરત ફર્યા હતા.
થોડા દિવસો પહેલા અમદાવાદ શહેરના હાથીજણ સર્કલ પાસે આવેલ રાધે રેસિડેન્સીમાં પાલતું શ્વાને 4 મહિનાની ઋષિકા નામની બાળકીને બચકા ભરી લીધા હતાં. શ્વાને બાળકીને યુવતીના ખોળામાંથી ખૂંચવી લઈ બચકાં ભર્યાં હતાં. ત્યાર બાદ બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી જ્યાં ફરજ પરના ડોક્ટર મૃત જાહેર કરી હતી. ગઈકાલે રાતે એક યુવતી પાલતું રોટવીલર શ્વાન લઈને આવી હતી. આ દરમિયાન તે ફોન પર વાત કરી રહી હતી ત્યારે શ્વાન હાથમાંથી છૂટી ગયું અને તેને અન્ય યુવતી અને 4 મહિનાની બાળકી પર હુમલો કર્યો હતો. જ્યારે બાળકને લઈને આવેલી યુવતીને પણ શ્વાને બચકાં ભર્યાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.