સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. ભક્તોએ ભગવાન દ્વારકાધીશના દર્શન કરીને જય દ્વારકાધીશના જયકારા લગાવ્યા હતા. તો ઉનાળુ વેકેશનના છેલ્લા દિવસોમાં યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશના દર્શન કરવા ભક્તોની લાંબી કતારો લાગી હતી. ભક્તોએ ભગવાન દ્વારકાધીશના દર્શન કરીને ધન્યતાની લાગણી અનુભવી હતી. દ્વારકાધીશ મંદિરના પરિસરમાં જાણે ભક્તોનો દરિયો હોય તેવું દ્રશ્ય સર્જાયું હતું.
યાત્રાધામ દ્વારકામાં ભગવાનના દર્શનાર્થે સુદામા સેતુથી લઈને સ્વર દ્વાર કતારો જોવાના મળી હતી.તો મોખદ્વાર સુધી ભક્તોની લાંબી લાઈનો જોવા મળી હતી. જેમાં ભક્તો ભગવાનના દર્શન કરવા માટે ઉત્સુક હતા.જય દ્વારકાધીશના જયકાર સાથે ભક્તિમય વાતાવરણનું નિર્માણ થયું હતું. નાના બાળકોથી લઈને મોટેરા સૌ કૌઈ ભક્તો ભગવાનના દર્શન કરવા માટે ઉત્સુક હતા. દ્વારકાધીશ મંદિરમાં ભકતોને કોઈ અસુવિધા ન થાય તેનું ધ્યાન મંદિર અને પ્રશાસને રાખ્યું હતું. તો તેની સાથે પોલીસની કડક સુરક્ષા પણ ગોઠવાઈ હતી.
વહેલી સવારથી દ્વારકામાં આવેલી ગોમતી નદી કિનારો ભક્તો ઉમટ્યા હતા. ગોમતી નદીમાં ડૂબકી લગાવીને ભક્તોએ પુણ્યનું ભાથું બાંધ્યું હતું. ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા સ્વર્ગ દ્વાર 56 સીડી પાસે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. જ્યારે મોક્ષ દ્વાર મંદિર બહાર ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા ભક્તો ઉમટ્યા હતા. મંદિર બહાર બજારો તેમજ સુદામા સેતુ સુધી લાંબી કતારોમાં ભક્તો જોવા મળ્યા હતા.