E-Paper
Saturday, June 7, 2025
E-Paper
HomeGujaratRajkotPatan : સિધ્ધપુરમાં 12.70 કરોડના વિકાસના કામોને લીલીઝંડી આપતા કેબિનેટ મંત્રી બલવંતસિહ રાજપૂત   

Patan : સિધ્ધપુરમાં 12.70 કરોડના વિકાસના કામોને લીલીઝંડી આપતા કેબિનેટ મંત્રી બલવંતસિહ રાજપૂત   

અહલ્યાબાઈ હોલકરની ૩૦૦મી જન્મ જયંતી નિમિત્તે પાટણ શહેરમાં કેબિનેટ મંત્રી બલવંતસિહ રાજપૂત દ્વારા 12.70 કરોડના વિકાસના કામોને લીલીઝંડી  આપતા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 5 લાભાર્થીઓને મકાનોની ચાવી અર્પણ કરાઈ હતી. વધુમાં નગરપાલિકાના ૫૯ પેન્શનરોને હકરજાના પગારના ૫૦ – ૫૦ હજારના ચેક પણ અર્પણ કરાયા હતા. રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ તથા અન્ય વિભાગો દ્વારા નગરપાલિકાને સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના, સ્વચ્છ ભારત મિશન , અમૃત -2 હેડ હેઠળ પૂર્ણ થયેલ રૂ. 4 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને રૂપિયા 8.70 કરોડના કામોનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું. રૂપિયા 28 લાખના ખર્ચે પસવાદળની પોળ ખાતે સર્વજ્ઞાતિ માટે કમ્યુનિટી હૉલ બનાવાશે તેમજ રૂ 2.76 કરોડના ખર્ચે રાજપુર ખાતે આવેલ તળાવ નું ડેવલોપમેન્ટ કરવામાં આવશે. તો સાથે શહેરના તમામ રોડ રસ્તાઓનુ નવીનીકરણ કરવામાં આવશે , જેના થી શહેર સહિત રાજપુરના લોકો માટે એક રમણીય સ્થળ ઊભું થશે જેનો  લોકોને ફાયદો થશે.

સિધ્ધપુર નગરપાલિકાના પ્રમુખ અનીતાબેન પટેલે જણાવ્યું હતું કે ખોલવાડા ખાતે રૂ 48 કરોડ ના ખર્ચે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન એટલે ગંદા પાણીને સાફ કરી ખેતી માટે સિંચાઈમાં ઉપયોગ લેવાના પ્લાન્ટનું કામ પણ પ્રગતિમાં છે જેનો ફાયદો આવનાર સમયમાં માં અનેક ખેડૂતોને થશે.  સિદ્ધપૂર ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભાર્થી લક્ષ્મીબેન મણિલાલ પટેલ , પ્રવિણાબેન દીપકભાઈ બારોટ , અજય કુમાર પરસોત્તમભાઈ વાળંદ , સોમાભાઇ ઇશ્વરભાઇ મકવાણા અને પાર્વતીબેન નરસીભાઈ રાઠોડને રાજ્યના કેબિનેટ મંત્રી બલવંતસિહ રાજપૂતના હસ્તે મકાનોની ચાવી અર્પણ કરવામાં આવી હતી 
સિદ્ધપુર નગરપાલિકામાં વર્ષ 2017 થી નિવૃત થેયલ કર્મચારીઓને હક રજાના પગારની રકમ લાંબા સમયથી અટકેલી હતી જેના ભાગરૂપે પાલિકાના નિવૃત થયેલા ૫૯ જેટલા પેન્શનરોને રૂ ૫૦ – ૫૦ હજારના પ્રથમ તબ્બકાના ચેક આપવામાં આવ્યા હતા આ પેન્શનરો વર્ષોથી પોતા રકમ મેળવવા રજૂઆતો કરતાં હતા જ્યારે આ બાબત ની જાણ કેબિનેટ મંત્રી બલવંતસિહ રાજપૂતને થતાં નગરપાલિકા અધિકારીઓને આ બાબતના નિરાકરણ માટે સૂચના આપી હતી જેના કારણે આજે ૫૯ જેટલા પેન્શનરોને પ્રથમ તબક્કાની રકમનો લાભ મળ્યો હતો.

આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ, પ્રદેશ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર , પ્રદેશ કારોબારી સભ્ય સુશીલબેન પટેલ , એપીએમસી ચેરમેન વિષ્ણુભાઈ પટેલ , પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ વિક્રમસિંહ ઠાકોર , રણજીતસિહ સોલંકી , કૌશલ જોશી , શંભુભાઈ દેસાઇ , જશુભાઇ પટેલ , મનીષભાઈ આચાર્ય , દિલીપસિહ ઠાકોર, ઉપપ્રમુખ સોનલબેન ઠાકર, અંકુરભાઈ મારફતિયા , રશ્મિનભાઈ દવે, મનીષભાઈ આચાર્ય સહિત પાલિકાના કોર્પોરેટરશ્રીઓ, પક્ષના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સુંદર સંચાલન જે. ડી. પટેલે કર્યું હતું તેમજ આભાર વિધિ ઓફિસર કૃપેશ પટેલે કરી હતી

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments