બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ભલગામ ગામે ભુગર્ભ ગટરનું કામ ચાલી રહ્યુ છે જેમાં કામ જે કોન્ટ્રાકટર ને છોપવામાં આવ્યું છે તે કામ જેસીબી થી મજુરો દ્વારા થતું જોવા મળેલ પરંતુ તલાટી વહીવટદાર કે કોન્ટ્રાકટર સ્થળ પર હાજર જોવા મળેલ ન હતા કામ રામ ભરોસે થતું હોવાનું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે.

ત્યારે આ કામગીરીમાં ઉંડાઈ એસટી મેન્ટ પ્રમાણે થતુ ન હોય અને સ્થળ પર કામ કરતા મજૂરો એ જણાવેલ કે આ કામ જગદીશભાઈ નામના કોન્ટ્રાકટર દ્વારા અમને કામ કરવા કહેલ છે ત્યારે સવાલ એ થાય છે કે આ કામગીરીમા મોટો ભષ્ટ્રાચાર આચરતો હોવાનું નકારી શકાય નહી ત્યારે જવાબદાર અધિકારીઓ આ બાબતે તપાસ કરે અને ભષ્ટ્રાચાર આચરતા કોન્ટ્રાકટરની તપાસ કરે અને આ કોન્ટ્રાકટર પાસે વિકાસના કામો કરવા માટે લાઈસન્સ ધરાવે છે તે દિશામાં તપાસ તાલુકા વિકાસ અધિકારી કરાવે તો ભુગર્ભ ગટરમા થતાં ભષ્ટ્રાચારનો પોલ બહાર આવે તેવી ગામ લોકોમાં ચર્ચાઓ સાંભળવા મળે છે ત્યારે આ ભુગર્ભ ગટર ની તપાસ લાગતા વળગતા જવાબદારો કરાવશે ખરાં..!
Reporter : દિપક પુરબિયા, વડગામ, બનાસકાંઠા