DMK MP Kanimozhi Karunanidhi in Spain: ભારતના ઑલ પાર્ટી ડેલિગેશનની આગેવાની કરી રહેલા DMK સાંસદ કનિમોઝીએ સોમવારે (2 જૂન) સ્પેનમાં કહ્યું કે, ભારતની રાષ્ટ્રીય ભાષા એકતા અને વિવિધતા છે. આ જ સંદેશ અમે દુનિયાને આપવામાં આવ્યા છીએ.
ભારતની રાષ્ટ્ર ભાષા કઈ છે?
સ્પેનમાં ભારતીય ડેલિગેશનને પૂછવામાં આવ્યું હતું કે, ભારતની રાષ્ટ્ર ભાષા શું છે? જેના જવાબમાં કનિમોઝીએ કહ્યું કે, ‘ભારતની રાષ્ટ્ર ભાષા એકતા અને વિવિધતા છે. આ જ જરૂરી સંદેશ છે જે આજે દુનિયા સુધી પહોંચાડવો જોઈએ.’
કનિમોઝીનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે, જ્યારે હાલમાં જ DMK કેન્દ્ર સરકારની નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020માં સામેલ ત્રણ ભાષા ફોર્મ્યુલાનો વિરોધ કરી ચુક્યા છે.
સ્પેનના વિદેશ મંત્રી સાથે મુલાકાત
સ્પેનમાં કનિમોઝીના નેતૃત્વમાં ભારતનું ‘ગૃપ-6’ ડેલિગેશને સ્પેનના વિદેશ મંત્રી જોસે મેન્યુઅલ અલ્બારેસ સાથે મુલાકાત કરી હતી. સ્પેનમાં ભારતીય દૂતાવાસે જાણકારી આપી કે, આ મુલાકાતમાં ભારતીય ડિલિગેશને આતંકવાદ સામે ભારતની લડાઈ અને 22 એપ્રિલે પહલગામમાં થયેલા આતંકી હુમાલા પર ભારતની સ્થિતિની જાણકારી આપી હતી.
વિદેશ મંત્રી અલ્બારેસે કહ્યું કે, સ્પેન ભારતવની આતંકવાદ વિરોધી લડાઈમાં સંપૂર્ણ રીતે તેમની સાથે ઊભું છે. આતંકવાદ ક્યારેય જીતી નહીં શકે અને દુનિયામાં શાંતિ સૌથી જરૂરી છે.
આતંકવાદ પીડિતો માટેના સંગઠન સાથે મુલાકાત
ડેલિગેશને સ્પેનમાં ‘એસોસિએશન ઑફ વિક્ટિમ્સ ઑફ ટેરરિઝ્મ’ નામની સંસ્થા સાથે પણ મુલાકાત કરી હતી. આ સંસ્થા દુનિયાભરમાં આતંકવાદથી પીડિત 4 હજારથી વધુ લોકો સાથે કામ કરે છે અને તેમને માનસિક અને સામાજિક મદદ આપે છે. આ વાતચીતમાં ભારત અને સ્પેન બંને દેશોએ પોતપોતાના અનુભવ શેર કર્યા અને આવા પીડિતોની મદદ માટે અપનાવવામાં આવી રહેલી રીત પર ચર્ચા કરી. ડેલિગેશને ભારતમાં સીમા પાર આતંકવાદનો સામનો કરવાના પોતાના અનુભવ શેર કર્યા.