ડભોઇ જયસ્વાલ પાર્ટી પ્લોટ માઁ ખોડીયારના આર્શીવાદ થી પ્રાચીન દર્ભાવતી નગરીમાં સમગ્ર અખિલ ભારત લેવલના રાણા સમાજના લગ્ન ઇચ્છુક યુવક-યુવતિઓના પસંદગી મેળાનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું તેમા ૯૩૮ જેટલા રાણા સમાજના યુવક યુવતિઓએ ભાગ લીધો હતો સમયની મર્યાદાને કારણે ૨૭૮ જેટલા ફોર્મ યુવક યુવતિઓના સ્વીકારેલ ન હતા. પસંદગી મેળામાં ઉપસ્થિત ડભોઇના લોકલાડીલા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાએ જણાવ્યું હતું કે દર્ભાવતી નગરીમાં પસંદગી મેળામાં જોડાયેલા યુવકો – યુવતિઓને પોતાની પસંદગીનુ પાત્ર (જીવનસાથી) મળે તેવી માતાજીને પ્રાર્થના કરી શુભેચ્છાઓ પાઠવીહતી.

આ પસંદગી મેળામાં અખિલ ભારત રાણા સમાજના પ્રમુખ શ્રી દિપકભાઈ, મહામંત્રીશ્રી નવીનભાઈ ચપડીયા, તથા સમગ્ર અખિલ ભારત રાણા સમાજના હોદ્દેદારો-અને રાણા સમાજના દાતાશ્રીઓ, આમંત્રીત મહેમાનો દુર દુર થી પધારીને આ પસંદગી મેળાની શોભામાં અભિવૃધ્ધિ કરી હતી.દાન આપનાર સમગ્ર દાતાશ્રીઓ – જાહેરાત આપનાર જ્ઞાતિજનો આ કાર્યક્રમને ભવ્ય સફર બનાવનાર ચોવીસ ગામ રાણા સમાજની સમગ્ર ટીમે હદયપુર્વક આભાર માન્યો હતો…
