પહેલા તો દુઃખ એટલે શું? તમે ધાર્યું હોય એ ન થાય પણ એના વિપરીત પરિસ્થિતિ ઉભી થાય અંદરથી અશ્વસ્થનો અનુભવ થાય જેના થવાથી કઈ લાભ નથી જે ન થવું જોઈએ પણ થાય છે એટલે દુઃખ થાય છે જીવનમાં અમુક ઘટનાઓ કે એવી કોઈ પરિસ્થિતિ ઉભી ન થવી જોઈએ અને એ અચાનક ઘટીત થાય ત્યારે મન અશાંત થાય અને દુઃખ થાય. તમને કઈક જોઈએ છે અને એ ન મળે તમે કંઈક ધાર્યું છે પણ એ ન થાય એટલે દુઃખ થાય અનાવશ્ચક પરિસ્થિતિ .જીવનમાં કંઈક તમને જોઈએ એ નથી એનું દુઃખ છે પણ જીવનમાં શું છે તમારી પાસે ?એનું સુખ નથી.
ભગવાને જ્યારે સૃષ્ટિનું સર્જન કર્યું એમાં એવી વિશિષ્ટ રચનાઓ કરી છે તમે સમજો કે અનાજમાં કીડા નો જન્મ કર્યો .નહીં તો લોકો સોના ચાંદીની જેમ અનાજનો પણ સંગ્રહ કરે. મૃત્યુ પછી શરીરમાં દુર્ગંધ પેદા કરી નહીં તો લોકો પોતાની પ્રિય જનોને અગ્નિ ન આપે અને દફનાવે પણ નહીં જીવનમાં કોઈપણ ઘટના બને એની સાથે આપણને રડતા અને હસતા શીખવાડ્યું નહીં તો જીવનમાં હંમેશા અંધકાર અને નિરાશા જ રહે એમ સુખ અને દુઃખ એ જીવન નું એક પાસું જ છે પહેલા તો તમારા જીવનમાં કોઈ દુઃખ છે તો લોકોને જણાવો શો નહીં કોઈને પણ પોતાની કમજોરી પોતાના પ્રોબ્લેમ જણાવવા નહીં કારણ બીજાને જણાવવાથી એ નાની વાત વધીને મોટી થઈને બહાર આવશે કોઈપણ પૂછે કેમ છો? તો કહેવાનું એકદમ મજામાં સામેવાળી વ્યક્તિ તમારું દુઃખ લઈ તો નઈ લે. તો જીવનમાં દુઃખ અને પ્રોબ્લેમ કોઈને કહેવા નહીં પણ દરેક મુસીબતનો નીડરતાથી સામનો કરવો એમાંથી પસાર થવું ખુશ રહેવું ખુશ રહેવા માટે આપણે ઘણું બધું કરીએ છીએ અહીંયા ફરવા જઈએ, ત્યાં ફરવા જઈએ, બંગલો ખરીદીએ ,ગાડી ખરીદીએ ,વસ્તુ ખરીદીએ ,રેસ્ટોરન્ટમાં જમવા જઈએ ,એસઓ આરામની જિંદગી જીવીએ શું એમાં સુખ છે? સુખી રહેવા ની એક જ કળા છે કર્મ સારા કરો વ્યવહાર સારો કરો .આશીર્વાદ સારા મળે એવા કાર્યો કરો . કોઈ ની બ્દ્દુવા મળે એવા કર્મો ન કરવા .કોઈનું ખરાબ ન કરવુ આપણે જે આપીએ છીએ એ જ આપણા જીવનમાં બે ઘણું થઈને પાછું આવશે એક બીજ વાવીશું સત્કર્મનું તો અનેક મીઠા ફળ મળશે .એટલે હંમેશા સારા કર્મો કરવા જેમ કે નદી ક્યારે પોતાના પાણીનો ઉપયોગ નથી કરી શકતી આજુબાજુના લોકો ને ઉપયોગી થાય છે નિસ્વાર્થ ભાવે .એવી જ રીતે એક ઝાડ ક્યારેય એના ફળો, ફૂલો ,છાયડો કે લાકડાનો ઉપયોગ નથી કરી શકતું બીજા લોકો ને એનો ઉપયોગ થાય છે એવી જ રીતે તમારા કર્મો નિસ્વાર્થ હોવા જોઈએ જેથી બીજા લોકોને સુખ મળે એનો લાભ મળે એ પણ નિસ્વાર્થ તો તમારા જીવનમાં પણ હંમેશા સુખ જ સુખ હશે દરેક સાથે સારો પ્રેમ ભર્યો વ્યવહાર કરવો તો તમને પણ જીવનમાં પ્રેમ ભાવ મળશે લોકો પાસે વધારે અપેક્ષા ન રાખવી જ્યારે અપેક્ષા રાખો તમને તમારું ધાર્યું ન મળે એટલે દુઃખી થવાય તમે જે શરીરની સુખ દુઃખની ચિંતા કરો છો હકીકતમાં આ એક વસ્ત્ર છે જેમ જુના કપડાં કાઢીને નવા પહેરીએ છીએ આત્મા એવી જ રીતે એક શરીરમાંથી બીજા શરીરમાં પ્રવેશ કરે છે કોઈ વ્યક્તિના જવાથી ઘણીવાર આપણે ડિપ્રેશનમાં આવી જઈએ છીએ હકીકતમાં એ કોઈ નવા વસ્ત્રમાં પ્રવેશે છે આત્મા અમર છે કોઈ આ દુનિયા છોડી જાય છતાં આપણે એને મહેસૂસ કરીએ છીએ તમારું મન જ તમારો સૌથી મોટો શત્રુ અને મિત્ર છે મનને જીતી લીધું તો દુનિયા પર રાજ કરશો ગીતામાં કહ્યું છે જે થાય એ સારું જ થાય છે અને જે થશે એ પણ આપણા માટે સારું જ થશે કંઈક નથી મળ્યું તો દુઃખી થવાની જરૂર નથી એ આપણા માટે સારું જ હશે ન મળવા પાછળનું કારણ સમય આવે સમજાશે. એટલે ધાર્યું ન થાય ન મળે તો દુઃખી ન થવું એમાંથી હસતા મોઢે પસાર થવું .આ સમય પણ પસાર થઈ જશે દુનિયામાં કંઈ પણ સ્થિર નથી સત્તા, સમય ધન ,વૈભવ ,સુખ ,દુઃખ દરેકમાં પરિવર્તન છે એટલે જે થઈ રહ્યું છે એ ભગવાનની મરજીથી જ થાય છે દુઃખ આવે એટલે આપણે ફરિયાદ કરીએ છીએ મારી સાથે જ કેમ આવું થાય છે આજે કોઈ કારણોસર જીવનમાં દુઃખ હશે તો આગળ ખુશીઓ પણ આવશે ઘણીવાર કંઈક ન મળવાનું પાછળનું પણ કારણ સારું હોય કોઈ વસ્તુ વ્યક્તિ કે કઈ પણ જે તમે ધારેલું હતું એ ઈચ્છા પૂરી ન થઈ તો એનાથી કંઈક સારું મળવાનું હશે એવું વિચારી આગળ વધવું મોહ એ જ સૌથી મોટું બંધન છે તમે કોઈ વસ્તુ કે સુવિધા વ્યક્તિ સાથે જરૂરિયાતથી વધારે લગાવ રાખશો તો દુઃખ ની શરૂઆત ત્યાંથી જ થશે પ્રેમ કરો પણ મોહ પેદા ન કરો. તમને મળે તો પણ ભલે અને ન મળે તો પણ ભલે સંબંધોમાં પ્રેમ જોઈએ પણ મોહ ન હોવો જોઈએ મોહ થી દુઃખનો જન્મ થાય છે ગુસ્સામાં પણ તમારું સર્વસ્વ લૂંટાઈ જાય છે તમારો વિવેક બુદ્ધિ ,વિચારસરણી બધું જ શૂન્ય થઈ જાય છે લોકો તમારાથી દૂર ભાગે છે ન કહેવાનું કહેવાય જાય છે અને એનું પરિણામ જીવનમાં દુઃખ પેદા કરે છે ભગવાન પાસે આપણે મંદિરમાં જઈએ છીએ તો દરેક વ્યક્તિ કંઈક ને કંઈક પોતાની ઈચ્છાઓનું કઈ ને કઈ માંગતા હોય છે કે હે ભગવાન મને ધન , દોલત, ગાડી, બંગલા ,સંપતિ આપો પણ કોઈ ભગવાન પાસે એવું કેમ નથી માંગતા કે હે ભગવાન મને ધન, દોલત ગાડી, બંગલા ,ખરીદી શકુ એટલી પરિશ્રમ કરવાની તાકાત આપો મને સુખ આપો એના બદલે મનેદુઃખમાંથી પસાર થવાની શક્તિ હિંમતઆપો. સહન કરવાની તાકાત અને ધીરજ આપો જીવનમાં મોહ, લોભ માયા ,સુખ ,સંપતિ આ બધામાંથી જ્યાં સુધી બહાર નહીં નીકળીએ ત્યાં સુધી દુઃખની અનુભૂતિ થયા જ કરશે સંતોષ ન હોય એ મનુષ્ય કોઈ પણ જગ્યાએ સુખી નહીં રહી શકે આ લોકમાં કે પર લોકમાં એને શાંતિની અનુભૂતિ ક્યારેય નહીં થાય સંબંધો જો વધારે ખેંચશો તો તૂટી જશે અને ઢીલ મૂકશો તો તૂટી જશે પણ યોગ્ય નિયંત્રણ સાથે નિભાવશો તો દુઃખ કે પીડા નહીં થાય જ્યારે સમય ખૂબ જ ખરાબ ચાલતો હોય જીવનમાં ચારે તરફથી દુઃખ હોય ત્યારે પોતાના પર સ્થિરતા અને નિયંત્રણ રાખવું . બધું ભગવાન પર છોડી દેવું મૌન રહેવું કોઈ ફરિયાદ નહીં બધું જ સમય પર છોડી દેવું જે થશે એ સારું જ થશે આ સમય પણ પસાર થઈ જશે કોઈની સાથે અણબનાવ થાય તો મૌન ધારણ કરો શબ્દોથી વાર ન કરો અડધું દુઃખ તો ત્યાં જ ઓછું થઈ જશે અને ભાગ્ય ને દોસદીધા વગર પોતાની તાકાત અને કમજોરીને જાણો .ભાગ્ય પણ એને જ સાથ આપશે જે સારા કર્મ કરશે અને પરિશ્રમ કરશે. અંત જ આરંભ છે કંઈક ખોયું છે તો નવું પણ મળશે જૂનું ખોવાશે તો જ નવું આવશે વસ્તુ ,વ્યક્તિ કે પરિસ્થિતિ કઈ પણ જે જાય છે એનું દુઃખ ન કરવું એ પરિસ્થિતિમાંથી પસાર થવું વર્તમાનમાં જીવવું .ભવિષ્યની ચિંતા ન કરવી અને ભૂતકાળને વાગોળી દુઃખી ન થવું દરેક પરિસ્થિતિમાં સ્થિર રહેવું મૌન રહેવું આ સમય પણ પસાર થઈ જશે .
લેખિકા- દર્શના પટેલ (નેશનલ એથ્લેટ
અમદાવાદ)
Life style : દુઃખથી ભાગો નહીં એમાંથી પસાર થાવ
RELATED ARTICLES