E-Paper
Saturday, June 7, 2025
E-Paper
HomeGujaratGUJARAT : નડિયાદમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પર્યાવરણ જાગૃતિ રેલી અને વૃક્ષારોપણ...

GUJARAT : નડિયાદમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પર્યાવરણ જાગૃતિ રેલી અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

નડિયાદ: વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે નડિયાદના સરદાર ભવન ખાતે પર્યાવરણ જાગૃતિ માટે કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, વન વિભાગ અને નડિયાદ મહાનગરપાલિકા સંયુક્ત ઉપક્રમે આયોજિત કાર્યક્રમમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને પ્લાસ્ટિકના ઉપયોગ વિરુદ્ધ પ્રતિજ્ઞા લેવાઈ. પ્રસંગે સરદારભવનથી સંતરામ મંદિર, મિલ રોડ થઇ મફતલાલ ઇન્ડસ્ટ્રીઝ સુધી પર્યાવરણ જાગૃતિ માટે રેલી યોજાઈ હતી. રેલી દ્વારા નગરજનોમાં પર્યાવરણ સંવર્ધન, પ્લાસ્ટિક નાબૂદી, સ્વચ્છતા, જળસંચય અને સૌર ઉર્જા જેવા મુદ્દાઓ પર જાગૃતિનો સંદેશો આપવામાં આવ્યો.
મહાનગરપાલિકા કમિશનર જી.એચ. સોલંકીએ નગરજનોને પર્યાવરણ રક્ષણ અને પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવા માટે સહયોગની અપીલ કરી. કાર્યક્રમમાં નાયબ વન સંરક્ષક અભિષેક સામરીયા, ડેપ્યુટી કમિશનર રુદ્રેશ હુદડ, જીપીસીબી અધિકારી વનશ્રીબેન તથા સરદાર ભવન અને મફતલાલ ઇન્ડસ્ટ્રીઝના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા.

Reporter : નરેશ ગનવાણી નડિયાદ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments