E-Paper
Saturday, June 7, 2025
E-Paper
HomeGujaratAnkleshwar : દરિયાકાંઠાના વિસ્તારોમાં લેસર ફ્લેમિંગો પક્ષીઓનું આગમન

Ankleshwar : દરિયાકાંઠાના વિસ્તારોમાં લેસર ફ્લેમિંગો પક્ષીઓનું આગમન

ભરૂચ જીલ્લાના અંકલેશ્વર નજીકના દરિયાકાંઠાના વિસ્તારોમાં લેસર ફ્લેમિંગો પક્ષીઓએ આગમન કર્યું છે. લેસર ફ્લેમિંગો પક્ષીઓ દર વર્ષે નવેમ્બરથી માર્ચ સુધી ભારતના વેટલેન્ડમાં સ્થળાંતર કરે છે. આ પક્ષીઓને પોષક તત્વોથી ભરપૂર શેવાળ અને ખારા પાણીના ઝીંગા આકર્ષે છે. ગુજરાત તેના વિશાળ મીઠાના રણ અને દરિયાકાંઠાના ઇકોસિસ્ટમને કારણે આ પક્ષીઓનું મુખ્ય આકર્ષણ કેન્દ્ર બન્યું છે. અંકલેશ્વર નજીકના દરિયાકાંઠા અને નદીમુખોમાં 60ના ઝુંડમાં આ પક્ષીઓ જોવા મળ્યા હતા. ગુલાબી પીંછા અને વાંકી ચાંચ ધરાવતા આ આકર્ષક પક્ષીઓનું અંકલેશ્વરમાં આગમન ગુજરાતના સંરક્ષણ પ્રયાસોની સફળતા દર્શાવે છે.

હાલમાં બ્રિડિંગ સિઝન હોવાથી આ પક્ષીઓ ગુજરાતમાં 2-3 મહિના માટે આવે છે. મોટાભાગે કરછના સરહદી વિસ્તારોમાં જોવા મળે છે, પ્રથમ વખત અંકલેશ્વરના દરિયા અને નદીના મુખ પ્રદેશમાં જોવા મળ્યા હતા. ગુજરાતનું રાજ્ય પક્ષી સુરખાબ છે, આ એ જ પ્રજાતીના પક્ષી છે. નર્મદા નદીનું મુખ અને નજીકના વેટલેન્ડ સેન્ટ્રલ એશિયન ફ્લાય-વે પર સ્થળાંતર કરતા પક્ષીઓ માટે મહત્વપૂર્ણ ખોરાકનું મેદાન પૂરું પાડે છે. અંકલેશ્વરમાં વેટલેન્ડ અને મેન્ગ્રોવ્સનું સંરક્ષણ આ વિસ્તારને ફ્લેમિંગોનું કાયમી આશ્રયસ્થાન બનાવી શકે છે. આ ઘટના ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ અને પર્યાવરણીય સંરક્ષણ વચ્ચેના સફળ સંતુલનનું ઉદાહરણ છે.

Reporter : કેતન મહેતા,અંકલેશ્વર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments