E-Paper
Saturday, June 7, 2025
E-Paper
HomeGujaratGUJARAT : ઘી જહાંગીરપુરા કોટન મંડળીની ૮૪ મી વાર્ષિક સભામાં મંત્રી કૌભાંડીઓ...

GUJARAT : ઘી જહાંગીરપુરા કોટન મંડળીની ૮૪ મી વાર્ષિક સભામાં મંત્રી કૌભાંડીઓ ઉપર વરસ્યા

દેશની આઝાદી પૂર્વે સ્થપાયેલ ઓલપાડ જીન કેમ્પસની ઘી જહાંગીરપુરા ગ્રુપ કોટન સેલ સોસાયટી ની ૮૪ મી વાર્ષિક સભામાં ઉપસ્થિત ગુજરાત સરકારના વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ સહકારી ભ્રષ્ટાચારીઓ નેતાઓ ઉપર ફરી ભડક્યા હતાં અને આવા કૌભાંડીઓને ચેતી જવા ટકોર કરી હતી.આ સભામાં મંડળીના એજન્ડા મુજબના તમામ કામો સર્વાનુમતે મંજુર કરાયા હતાં.જયારે સભા પૂર્ણ થયા બાદ જીન કેમ્પસમાં વન મંત્રીના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.

   ઘી જહાંગીરપુરા ગ્રુપ કો.ઓ.કોટન સેલ સોસાયટીની ૮૪ મી વા.સા.સભામાં મંડળીના પ્રમુખ પિયુષ પટેલે મંડળીના અહેવાલ તથા હિસાબનું વાંચન કરતાં જણાવ્યું હતું કે,૨૦૮૩ સભાસદ સંખ્યા ધરાવતી આ મંડળીનું શેર કેપીટલ રૂ.૪.૩૪ લાખ,રીઝર્વ ફંડ રૂ.૬.૮૭ લાખ તથા બીજા ફંડો રૂ.૩ ૦૭ કરોડ છે.તેમણે વધુ કહ્યું કે,મંડળીએ
હેવાલના વર્ષમાં ડાંગર,કપાસ તથા શેરડી પર કુલ રૂ. ૧.૦૫ કરોડનું ધિરાણ કરી રૂ.૬૬,૧૧૨ બચત લોન આપેલ છે.જે ધિરાણની સામે ચોમાસુ ડાંગરનું રૂ.૧૨,૧૫૦ તથા ઉનાળું ડાંગરનું રૂ.૮૯,૨૦૨ રકમ મુદતવીતી બાકી છે. જે બાકી રકમ સભાસદો પાસેથી વસુલાતની કામગીરી ચાલુ છે.તેમણે કહ્યું કે,ઓલપાડ સેન્ટર ઉપર ૨,૬૭,૭૫૬ ગુણી તથા જહાંગીરપુરા સેન્ટર ઉપર ૧,૨૭,૫૧૫ ડાંગર ગુણીની આવક થઈ હતી.


   ઓલપાડ જીન કેમ્પસની ૧૦૪ વર્ષ જુની ઘી સોંસક કોટન મંડળીના પ્રમુખ સુમુલ ડિરેક્ટર જયેશ પટેલ (દેલાડ)છે.આ મંડળી માં ૭૦૦ થી વધુ ગુણ રાસાયણિક ખાતરની ગુણ ઉચાપતથી મંડળીમાં રૂ.૫૮.૪૦ લાખના કૌભાંડ મામલે જિલ્લા રજિસ્ટ્રાર (સહકારી મંડળીઓ) દ્વારા મંડળીના પ્રમુખ સહિત આખી બોર્ડને બરખાસ્ત કરી છે. આજે શુક્રવાર,તા.૦૬  ના રોજ જહાંગીરપુરા કોટન મંડળીની વા. સા.સભામાં ઉપસ્થિત  વનમંત્રી મુકેશ પટેલે

ભ્રષ્ટાચારી સહકારી નેતાઓ ઉપર પ્રહાર કરી ગરજતા કહ્યું કે, મેં અગાઉ તમામ સહકારી મંડળીઓના દરેક નેતાઓને કહ્યું હતું કે,તમારા વહીવટ દરમ્યાન જે પણ વ્યક્તિ મારા સભાસદ ખેડુતોના રૂપિયા ચાઉં કરશે,એ હું ક્યારે પણ ચલાવવાનો નથી.જે ખેડૂતની ગામમાં એક પણ વીંઘું જમીન નથી એવા લોકો ૫૦ ગુણ રાસાયણિક ખાતર લઈ જાય એ જોવાની જવાબદારી મંડળીના તમામ ડિરેક્ટરોની છે.

ઘણા લોકો મને ગાળો આપી કહી રહ્યા છે કે, મંત્રી મુકેશભાઈ પટેલ સહકારી મંડળીઓમાં પણ માથા મારે છે. પરંતુ મારે એમને કહેવું છે કે,મારે તો કોઈ સહકારી મંડળીમાં જવું નથી.મને ભગવાને ઘણું બધું આપ્યું છે.હું ફક્ત લોકોની સેવા કરવા માટે જ આવ્યો છું. જેથી હું ચમરબંઘી કૌભાંડીઓને ક્યારેય છોડવાનો નથી.ભલે તેમણે એક રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોય કે પછી પાંચ લાખનો. મને જેટલી ગાળો આપવી હોય એટલી આપજો.તેમણે વધુ કહ્યું કે,બિચારો ખેડુત રાત-દિવસ મહેનત કરે અને મંડળીના ડિરેક્ટરો કે કર્મચારી ઓ પૈસા ખાઈ જાય એ નહીં ચલાવી લેવાય.તેમણે પશુપાલન કરતી બહેનોને વ્હારે આવી વધુ કહ્યું કે,મારી બહેનો સવારે ૪ વાગ્યે ઉઠીને પશુઓ માટે ઘાસચારો લાવે, મંડળીમાં દૂધ ભરે. એમાં પણ આ લોકો કાળા હાથ કરી રહ્યા છે.

(પેટા-વા.સા.સભામાં રજુ થયેલ એજન્ડા મુજબના તમામ કામો સર્વાનુમતે મંજુર કરાયા)
ઓલપાડ,તા.૦૬

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments