(પેટા-મંડળીનું કોઈ એન.પી.એ.નથી,તેમ છતાં હિસાબી વર્ષમાં સભાસદોને રૂ.૪,૬૮,૬૩,૪૪૮ નું ધિરાણ કરેલ છે. -પ્રમુખ મનહરભાઈ પટેલ)
દેશની આઝાદી પૂર્વેથી ઓલપાડ જીન કેમ્પસમાં કાર્યરત અને તાલુકાનાં કાંઠા વિસ્તારનાં ૩,૦૯૨ સભાસદોની સંખ્યા ધરાવતી ઘી ઓલપાડ ગ્રુપ કો.ઓ.કોટન સેલ સોસાયટીની ૮૯ મી વાર્ષિક સાધારણ સભામાં એજન્ડા મુજબનાં તમામ કામોને સર્વાનુમતે મંજુરી આપવામાં આવી હતી.

રવિવાર,તા.૦૮ નાં રોજ ઘી ઓલપાડ ગ્રુપ કો.ઓ.કોટન સેલ સોસાયટીની ૮૯ મી વા.સા.સભા સુરત જિલ્લાનાં સહકારી, શૈક્ષણિક,સામાજીક સંસ્થાઓના અગ્રણી અને સદર મંડળીનાં પ્રમુખ મનહરભાઈ કે.પટેલ(કદરામા)નાં અધ્યક્ષ સ્થાને મળી હતી.આ સભામાં મંડળીનાં પ્રમુખે અહેવાલ તથા હિસાબોનું વાંચન કરતાં જણાવ્યું હતું કે,મંડળીએ હિસાબી વર્ષમાં એકપણ રૂપિયા નાં એન.પી.એ.વિના સભાસદોને ડાંગર, કપાસ,એરંડા તથા અન્ય ખેતપાક ઉપર કુલ રૂ. ૪,૬૮,૬૩,૪૪૮ નું ધિરાણ આપેલ છે. તેમણે વધુ કહ્યું કે,
તેમણે વધુ કહ્યું કે,અહેવાલનાં વર્ષમાં મંડળીમાં ડાંગરની આવક ૧,૬૫,૫૦૨ કિવન્ટલ,કપાસ(રૂ)ની આવક ૩,૬૬૫ કિવન્ટલ અને દિવેલાની આવક ૧,૨૦૦ કિવન્ટલ થયેલ છે.પ્રમુખે વધુ કહ્યું કે,ગત વર્ષે મંડળી એ ઉનાળું ડાંગરના પ્રતિ ૨૦ કિલો(મણ) એ રૂ.૪૭૪ નો ભાવ ચુકવેલ છે.જયારે ખરીફ ડાંગરનાં પાકમાં હેન્ડકટનાં રૂ.૫૨૨ અને ચાઈનાકટનાં રૂ.૫૦૫ ચુકવેલ છે.
આમ મંડળીનાં વાર્ષિક ટર્ન ઓવર રૂ.૪૯,૦૩,૯૯,૭૩૩ સુધી પહોંચતા મંડળીએ કાચો નફો રૂ.૮૯,૬૧,૩૬૬ માંથી
ધસારા અન્ય ફંડો મળી કુલ રૂ.૮૭,૧૬, ૬૦૦ કાઢી રૂ.૨,૬૬, ૭૬૬ ચોખ્ખો નફો કરી સભાસદોને ૧૫ ટકા ડિવિડન્ડ ચુકવેલ છે. જેથી મંડળીનાં સુંદર વહીવટ બદલ સરકારી ઓડિટર તરફથી મંડળીને ઓડિટ ‘વર્ગ-અ’ મળેલ છે.જયારે મંડળીએ તમામ સભાસદોને રૂ.ત્રણ લાખનાં અકસ્માત વીમા કવચથી આવરી લઈ મંડળીના પોતાના ફંડમાંથી વીમા પ્રિમયમ ભરેલ હતું. જે સ્કીમ હેઠળ હિસાબી વર્ષમાં એક સભાસદનું અકસ્માત મરણ થતાં તેના પરિવારને મંડળી દ્વારા રૂ ત્રણ લાખની સહાયનો ચેક આપવામાં આવેલ છે.
આ સભામાં મંડળીના મેનેજર જયેશભાઈ પટેલે ગત વર્ષની વા.સા.સભામાં મંજુર થયેલ ઠરાવો અને ઓડિટ પેરાનું વાંચન કરતાં સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી.અંતમાં મંડળી નાં ઉપપ્રમુખ ચેતનભાઈ પટેલે આભારવિધિ કરી હતી.