દર શનિવારે એક પ્લાસ્ટિકના તબમાં પાણી મૂકી તેની અંદર તરતો પથ્થર રાખી સવારથી સાંજ સુધી દર્શન માટે ખુલ્લો રાખી પૂજા કરવામાં આવે છે*
હિન્દુ ધાર્મિક ગ્રંથ રામાયણ મુજબ ભગવાન રામની વાનર સેના દ્વારા રાવણ સાથેના યુદ્ધમાં રામેશ્વર ખાતે રામસેતુ પુલ બનાવ્યો હતો અને તે રામસેતુ પુલના ઉપયોગ દ્વારા ભગવાન શ્રી રામની વાનર સેના દ્વારા તે રામસેતુ ઓળંગીને સામે કિનારે ગયા હતા. ત્યારે જે રામ સેતુ બનાવવામાં આવ્યો હતો તેમાં તરતા પથ્થરે વિશેષ કુતૂહલ ઉભુ કર્યું હતું. ત્યારથી હિન્દુ પૌરાણિક માન્યતા મુજબ લોકો તરતા પથ્થરમાં શ્રદ્ધા રાખે છે.
જ્યાં પણ કોઈ જગ્યા પર આવા તરતા પથ્થર મળે તો તેનું પૂજન કરી મંદિરમાં તેનું સ્થાપન કરવામાં આવે છે. આવો જ એક પથ્થર સૂરવાડી ગામના દિનેશ પટેલને 2018માં તેમના ખેતર પાસેથી પસાર થતી વરસાદી કાંસમાંથી મળ્યો હતો. તે વખતે તરતો પથ્થર મળવાથી સૂરવાડી ગામમાં વિશે કુતૂહલ ઊભું થયું હતું. 2018થી આજદિન સુધી તરતા પથ્થરને પોતાના જ ખેતરમાં એક વ્યવસ્થિત જગ્યા પર મૂકી તેની સ્થાપના કરી દરરોજ તેની ઉપર અગરબત્તી અને પૂજન કરે છે. હાલમાં પથ્થરની આસપાસ વિશેષ પ્રકારની જાળી રાખી તેનું રક્ષણ કરી તેની પૂજા કરે છે. દર શનિવારે એક પ્લાસ્ટિકના ટબમાં પાણી મૂકી તેની અંદર રાખી સવારથી સાંજ સુધી દર્શન માટે ખુલ્લો રાખી તેની પૂજા કરે છે.
REPORTER : કેતન મહેતા, અંકલેશ્વર