E-Paper
Saturday, June 7, 2025
E-Paper
HomeTop NewsTOP NEWS : આજે મર્યાદા પુરૂષોત્તમ શ્રીરામનો જન્મોત્સવ ઉજવવા સૌરાષ્ટ્રભરમાં ઉમંગ

TOP NEWS : આજે મર્યાદા પુરૂષોત્તમ શ્રીરામનો જન્મોત્સવ ઉજવવા સૌરાષ્ટ્રભરમાં ઉમંગ

અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ )  ભગવાન શ્રીરામનાં જન્મોત્સવની ઉજવણી કરવા સૌરાષ્ટ્રવાસીઓમાં ઉમંગ છવાયો છે. રામનવમીના સવારથી રામ મંદિરોમાં દર્શનાર્થે ભાવિકો ઉમટશે. મંદિરોમાં મહાપૂજા, મહાઆરતી, રામધૂન, પંજરી પ્રસાદ વિતરણ સહિતના કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત ગામો-શહેરોમાં જયશ્રીરામના નાદ વચ્ચે વાજતે-ગાજતે ભવ્ય શોભાયાત્રા યોજાશે. દિવસભર રામનામનો મંત્ર ગુંજતો રહેશે. સૌરાષ્ટ્રભરના રામ મંદિરો રોશનીના અનુપમ શણગારથી દીપી ઉઠયા છે.

જામનગર શહેરમાં  44મી રામ સવારી રવિવારે મહાદેવ હર મિત્ર મંડળ સહિતના મંડળો દ્વારા યોજાશે. રામ સવારીમાં વિવિધ ફલોટસ જોડાશે.જામનગરમાં પંચેશ્વર ટાવર સ્થિત લોહાણા મહાજન વાડીનાં પરિસરમાં આવેલા ભગવાન શ્રી રામચંદ્રજીના મંદિરમાં રામનવમીએ ધૂન-ભજન મહાઆરતી સહિતના અનેક કાર્યક્રમો યોજાશે. સમગ્ર મંદિર પરિસરને ઝળહળતી રોશનીથી સજ્જ બનાવી દેવામાં આવ્યું છે.જામનગર મહાજન દ્વારા રામનવમી ઉજવાશે. લોહાણા મહાજનવાડીએ સવારે ૧૦.૩૦ કલાકથી ધ્વજરોહણ યોજાશે.

દ્વારકાના દ્વારકાધીશજી મંદિર ખાતે રામ નવમી ઉત્સવ નિમિત્તે દ્વારકાધીશજીને મર્યાદા પુરૂષોત્તમ શ્રી રામ સ્વરૂપ શણગાર યોજાશે. બગસરા શહેરના વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા શ્રીરામચંદ્ર ભગવાનની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરેલ છે. શોભાયાત્રા આસોપાલવ સોસાયટીના રામેશ્વર મહાદેવના મંદિરેથી બપોરેના ૨.૩૦થી પ્રસ્થાન કરીગામમાં ફરી પટેલવાડી ચોકમાં જશે જ્યાં મહાઆરતી કરી સમૂહમાં હનુમાન ચાલીસાના પાઠ યોજાશે.ધોરાજીમાં વિહિપ દ્વારા રામનવમી નિમિત્તે વિશાળ શોભાયાત્રા નીકળશે. સવારે ૭ કલાકે રામ મંદિરે સંતો તથા આગેવાનોના હસ્તે પૂજન અને આરતી બાદ શોભાયાત્રાનું પ્રસ્થાન થશે જે જમનાવડ રોડ, પોસ્ટ ઓફિસ ચોક, ગેલેક્સી ચોક, અવેડા ચોક, શાક માર્કેટ, મેઇન બજાર, દરબારગઢ, ત્રણ દરવાજા, સ્ટેશન રોડ થઇને રામ મંદિરે પૂર્ણ થશે. ત્યારબાદ બપોરે ૧૨ વાગ્યે રામ મંદિર રામ જન્મોત્સવની ભવ્ય મહાઆરતી થશે.

વીરપુર પાસેના મેવાસા ગામે ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજના સંત પૂજ્ય ભક્ત શ્રી રામબાપુનાં મંદિરે રામનવમી મહોત્સવ ધામધૂમથી ઉજવાશે. રામનવમીએ રાત્રે ભવ્ય સંતવાણી લોકડાયરો યોજાશે.ે.ધ્રોલ ખાતે હિંદુ સેના તરફથી રામનવમીએ ભવ્ય શોભાયાત્રાનુ આયોજન કરવામાં આવેલ છે. જે શોભાયાત્રા આંબા ભગતની જગ્યાએથી સાંજે ચાર વાગ્યે પ્રસ્થાન કરશે અને ત્યાંથી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઇને તે જ સ્થળે પરત ફરશે.જેતપુર ખાતે રામનવમી મહોત્સવ અંતર્ગત નૃસિંહ મંદિર, ભાદરકાંઠે બપોરનાં 12 કલાકે મહાઆરતી કરવામાં આવશે. ત્યારબાદ નૃસિંહ મંદિર ખાતે રથનું પૂજન કરવામાં આવશે અને બપોરે 3.30 વાગ્યે રામનવમી શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવશે. ભવ્ય શોભાયાત્રામાં હજારો ભાવિકો જોડાશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments