E-Paper
Tuesday, June 17, 2025
E-Paper
HomeGujaratGUJARAT : પોરબંદરની મહિલા હોસ્ટેલમાં કપાળમાં કુમકુમ તિલક કરી ગુલાબ પુષ્પથી પ્રવેશેલ...

GUJARAT : પોરબંદરની મહિલા હોસ્ટેલમાં કપાળમાં કુમકુમ તિલક કરી ગુલાબ પુષ્પથી પ્રવેશેલ કન્યા ઓને મૉ મીઠુ કરાવી છાંત્રોનો પ્રવેશોત્સવ યોજાયો

છાત્રાલયએ દીકરીઓના જીવન ઘડતરની ઉત્તમ પાઠશાળા છે :ડૉ વિરમભાઈ ગોઢાણીયા ગોઢાણીયા પોરબંદરની માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રષ્ટ સાંચાલિત શિક્ષણ, શિસ્ત અને સંસ્કાર ઘડતરમાં અંગ્રેસર પોરબંદર ની ડૉ, વી.આર ગોઢાણીયા મહિલા હોસ્ટેલ ખાતે તાજેતરમાં વિદ્યાર્થીનીઓનો પ્રવેશોત્સવ નું આયોજન કરવા માં આવેલ હતું
છાત્રાલય ના પ્રાર્થના હોલ ખાતે શ્રી સરસ્વતી માતાજીને પુષ્પમાળા સાથે દીપ પ્રજવવલિત સાથે આરતી કરીને ગોઢાણીયા મહિલા હોસ્ટરેલના એડમિનિસ્ટર કિરણ બેન ખૂંટી એ દીકરીઓ ના શિક્ષણ, શિસ્ત અને સંસ્કાર ઘડતરની પ્રવૃર્તિ ની રૂપરેખા સાથે સૌને આવકારી છાત્રાલય પ્રવેશ કરાવ્યો હતો.


આ પ્રસંગે મહિલા હોસ્ટેલ ના માર્ગદર્શક દાતા શ્રીમતિ જયશ્રી બેન વિરમભાઈ ગોઢાણીયા એ જણાવ્યું હતુંકે, છાત્રાલયમાં જ્યા દીકરીઓનું વિદ્યા ભ્યાસ સાથે ઉત્તમ જીવન શૈલી ની તાલીમ મલે છે .ફક્ત ભણવું એજ પર્યાપ્ત નથી સાથોસાથ નિયમિત્તા, સમૂહ જીવન, સ્વાવ લબન, સહકાર, સાદો અને પોસ્ટક ખોરાક, સાથે જીવન ઘડતર થવાંથી ભાવિ પડકારો નો સામનો કરવાનું નૈતિક બલ છાંત્રો ને પ્રાપ્ત થાય છે.


આ પ્રસંગે ટ્રષ્ટ ના પ્રમુખ, જાણીતા દાતા અને વિદ્યા પ્રેમી ડૉવિરમભાઈ ગોઢાણીયાએ જણાવ્યું હતું કે, છાત્રાલય એ ચોવીસ કલાકની શાળા છે. છાત્રાલય એ દીકરીઓ ના જીવન ઘડતર ની ઉત્તમ શાળા છે, શાળામાં જે સ્થાન આચાર્ય, કુટુંબમાં વડીલ નું છે તેવું સ્થાન છાત્રાલય માં ગૃહ માતા નું છે તેના માધ્યમ થકી સમૂહજીવન ના પાઠો શીખવાથી સંયુક્ત પરિવાર ની ભાવના બળવતર બને છે આથી આજે પણ આપણે પ્રાચીન ગુરુકુળ ને યાદ કરીએ છીએ સૌ કન્યા ઓ ને આવકારી અભિનંદન સાથે શુભેચ્છઓ પાઠવી હતી.


આ પ્રસંગે ગોઢાણીયા બી એડ કોલેજના ડાયરેક્ટર અને જાણીતા કેળવણીકાર ડૉ ઈશ્વરભાઈ ભરડા એ જણાવ્યું હતું કે વિદ્યાર્થી એ વિદ્યાના ઉપાસક છે શ્રીમદ્દ ભગવદ ગીતા ના અધ્યાય ૧૬/૧ માં જણાવ્યા નુસાર સ્વા ધ્યાય માં પ્રમાદ કે આળસ કરવી નહિ સ્વાધ્યાય એટલેકે સ્વ અધ્યન કરવું એ માટે શિક્ષણ વિદોએ છાત્રવાસી શિક્ષણ ઉત્તમ ગણાવ્યું છે .કારણકે છાત્રાલયમાં અભ્યાસ કરી ચૂકેલા અન્ય માટે પ્રેરણા શ્રોત બને છે છાત્રાલયમાં પ્રવેશ પામેલ દીકરીઓ ને કપાળમાં તિલક કરી મૉ મીઠુ કરાવી મહાનુભાવો એ પ્રવેશ કરાવ્યો હતો.


છાત્રાલય પ્રવેશોત્સવ ના અવસરે ગોઢાણીયા મહિલા કોલેજના પ્રિન્સિપાલ ડૉ કેતનભાઈ શાહ, યોગા કોલેજ ના કોરડીનેટર જીવા ભાઈ ખૂંટી, ટ્રષ્ટના અંગત સેક્રેટરી કમલેશભાઈ થાનકી ગોઢાણીયા ગર્લ્સ હાઈસ્કૂલ ના આચાર્ય શ્રી શ્વેતા બેન રાવલ, ઈંગ્લીસ મીડીયમ સ્કુલ ના પ્રિન્સિપાલ ભાવના બેન અટારા, ગુજેરાતી માધ્યમ સ્કુલ ના પ્રિન્સિપાલ પૂજા બેન મોઢા, ગૂજરાત પ્રિ. પ્રાયમરી સ્કુલ ના આચાર્ય અનિતા બેન પંડ્યા, સહીત ના સા રસ્વતો એ નવા પ્રવેશ પામેલ છાત્રોને આવકારી અભિનંદન સાથે શુભેચ્છઓ પાઠવી હતી.


આ વિદ્યાર્થી લક્ષી કાર્યક્રમને આવકારી ટ્રષ્ટના મેનેજીંગ ટ્રષ્ટિ અર્જુનભાઈ મોઢવાડીયા, ટ્રષ્ટિ ભરત ભાઈ ઓડેદરા, શ્રીમતિ શાન્તા બેન ઓડેદરા, ભરત ભાઈ વિસાણ સહિતના ટ્રષ્ટ ગણે અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી આ અવસરે હોસ્ટેલ ના એડમિનિટેટર કિરણ બેન ખૂંટી ના માર્ગદર્શન હેઠળ ગૃહમાતા વાલીબેન, જયશ્રી બેન,તેજલબેન, વિધિબેન જેઠી બેન હોસ્ટેલ સ્ટાફ પરિવારે સારી જહેમત ઉઠાવી હતી.


રિપોર્ટર:- વિરમભાઇ કે. આગઠ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments