
બનાસકાંઠા લાખણી તાલુકાના જસરા ગામે રવિવારની રાત્રીના સમય ઘર આંગણે સૂઈ રહેલ દંપતીની વહેલી સવારે લોહી લુહાણ હાલતમાં લાશ મળતા ચકચાર મચી જવા પામી છે જેમાં કોઈ અજાણ્યા શખ્સોએ લૂંટના ઈરાદે તીક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી હોવાનું અનુમાન છે જેમાં બનાવના પગલે બનાસકાંઠા SP સહિત પોલીસ દોડી આવી હત્યારા આરોપી ને ઝડપી પાડવા ડોગ સ્કવોડ અને એફ એસ એલની મદદ લઈ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ લાખણી તાલુકાના જસરા ગામે રહેતા ખેડૂત વર્ધાજી ચૌધરી ઉં ૬૫ અને હોશીબેન ચૌધરી ઉ ૬૦ રવિવારે રાત્રે ઘર આંગણે સૂતા હતા જેમાં વહેલી સવારે બંને વૃદ્ધ પતિ પત્ની ની લોહી લુહાણ હાલતમાં મૃતદેહ જોવા મળતા આજુ બાજુ માંથી મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા અને બનાવ ની જાણ આગથાળા પોલીસ ને કરતા પોલીસ પણ બનાવ સ્થળે દોડી આવી હતી જેમાં રવિવારે રાત્રીના સમયે કોઈ અજાણ્યા શખ્સોએ ઘરમાં પ્રવેશ કરી લૂંટ કરવાના ઈરાદે વૃદ્ધ દંપતીને તીક્ષણ હથિયારના ઘા ઝીંકી કુર્તાપૂર્વક હત્યા કરી હોવાનું સામે આવતા જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા પણ જસરા ગામે દોડી આવ્યા હતા અને અલગ અલગ ટીમો બનાવી ડોગ સ્કવોડ એફ એસ એલ ની મદદ લઈ વૃદ્ધ દંપતીની નિર્ભયા પૂર્વક હત્યા કરનારા આરોપી ને ઝડપી પાડવા ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે

આ બાબતે એસ પી અક્ષયરાજ મકવાણાએ કહ્યુ હતુ કે પ્રાથમિક દ્રષ્ટિએ એવું માની શકાય કે ચોરી અને લૂંટ ના ઈરાદે દંપતી ની હત્યા કરવામાં આવી છે હત્યારા ઓ દંપતી ના પગ ના અંગો કાપી ઘરેણાં તેમજ કાનની બ્યુટી પણ લઈ ગયેલ છે તેમજ ઘર ની તિજોરી પણ તોડેલ જણાય છે અને આ મામલે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે. જસરા ગામના ખેતરમાં જે જગ્યાએ દંપતી ના ઘરે હત્યા અને લૂંટ કરવામાં આવી છે તેજ ઘરમાં પંદર દિવસ પહેલા જ આ દંપતીના દીકરી ના લગ્ન હતા અને ધામધૂમ થી લગ્ન કર્યા હતા અને નવ જૂને સ્કૂલો ચાલુ થતાં તમામ પરિવાર દીકરા દીકરીઓ તેઓ બહાર ગામ ગયા હતા અને તેના પછી દંપતીઓ એકલા રહેતા હતા
રિપોર્ટર : જગદીશ સોની, દિયોદર, બનાસકાંઠા