શ્રી અર્બુદા કેળવણી મંડળ રૈયા ના ઉચ્ચત્તર માધ્યમિક વિભાગના નામકરણ દાતા અને અન્ય દાન પેટે રૂપિયા ૨૨,૨૨,૨૨૨/- રૂપિયાનું માતબર દાન આપનાર દાતાશ્રીના અવસાનથી સમાજને ના પુરી શકાય તેવી મોટી ખોટ પડી છે એવા સ્વ.ગોવિંદભાઈ વિસાભાઈ ચૌધરી (ખસા)ને તા. ૧૪/૦૬/૨૦૨૫ ને શનિવારના રોજ સવારે માર્ગ અકસ્માતમાં કરૂણ મૃત્યુ થતા તેમનાં સ્મણાર્થે રામ-લક્ષમણ ની જોડી સમાન પુત્રો હાર્દિક,કૌશલ,પત્ની મંજુલાબેન,કાકા રાજાભાઈ,કાકા ભેમાભાઈ,કાકા અણદાભાઈ (પૂર્વ ચેરમેન,બનાસ બેંક),કાકા શંકરભાઈ સહીત તેમનાં પરિવારજનો દ્વારા આજરોજ બેસણાના દિવસે ૫૧,૦૦૦/- આપી આજીવન તિથીભોજન શ્રીઅર્બુદા કેળવણી મંડળ રૈયા સંચાલિત શ્રીમતી નાથીબેન પચાણભાઈ કન્યા કેળવણી સંકુલમાં શ્રીમતી વિરાબેન અમરાભાઈ કન્યા પ્રાથમિક શાળા,શ્રીમતી રગાબેન બાબરાભાઈ કન્યા માધ્યમિક શાળા, શ્રીમતી ધુડીબેન રામાભાઈ કન્યા ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતી બાલિકાઓને આજીવન તિથીભોજન નોંધાવેલ તથા ૩૧,૦૦૦/- શ્રી કાંકરેજ આંજણા કેળવણી મંડળ થરા સંચાલિત શ્રી આંજણા વિધાર્થી ભુવન પટેલ બોર્ડિંગ થરા આજીવન તિથિ ભોજન નોંધાવેલ છે.અને ૫૫,૦૦૦/- રૂપિયા પાંચ ગૌ શાળામાં અર્પણ કરશે.દર વર્ષે આજીવન એમની તિથિના દિવસે શાળાના ભુલકા ઓ શાળામાં શ્રદ્ધાસુમન અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપશે અને તિથીભોજન જમશે.

શાળામા આજીવન તે દિવસે સ્વર્ગસ્થના આત્માને યાદ કરી બાલિકાઓ શ્રધ્ધાંજલિ અર્પણ કરી તિથી ભોજન જમે આવા ઉત્તમ કાર્ય બદલ સમાજ સંચાલક મંડળ તેમનો ખૂબ ખૂબ આભાર માને છે.સ્વ.ગોવિંદભાઈ ચૌધરીના અવસાન નિમિત્તે શ્રધ્ધાંજલિ પ્રસંગે તેમના માસા પેથાભાઈ ચૌધરી રવિયાણા તરફથી પણ આજીવન તિથિભોજન ૫૧,૦૦૦/- રૂપિયા શ્રી અર્બુદા કેળવણી મંડળ રૈયામા અનુદાન અર્પણ કર્યું હતું.જયારે પ્રગતિબેંક થરાના ચેરમેન ચીનુભાઈ શાહ દ્વારા ૨૫,૦૦૦/- રૂપિયા,શ્રી ઓગડ વિદ્યામંદિર થરાના પ્રમુખ ધિરજકુમાર કે.શાહ દ્વારા ૨૫,૦૦૦/-રૂપિયા,રામજીબા ચૌધરી પરિવાર ખસા દ્વારા ૧૧,૦૦૦/- રૂપિયા, સ્વ.વિરાબા પ્રજાપતિ નેકારીયા પરિવાર હસ્તે ઉમેશભાઈ દ્વારા ૧૧,૦૦૦/- રૂપિયા,વાઘુજી કાળુજી વડા દ્વારા ૧૧,૦૦૦/- રૂપિયા ગૌ શાળામાં સ્વ.ગોવિંદભાઈ ના આત્માને ભગવાન ચિર શાંતિ આપે એ માટે અનુદાન કરી પરમ કૃપાળુ પરમાત્મા દિવંગત આત્મા ને ચિર શાંતિ આપે તેવી પ્રાર્થના કરી હતી.
REPORTER : માનસિંહ ચૌહાણ કાંકરેજ