HomeIndiaNational : વિશાખાપટ્ટનમાં શિક્ષકની ક્રૂરતા: ગૃહકાર્ય ન કરવા બદલ છ વર્ષના બાળકને...

National : વિશાખાપટ્ટનમાં શિક્ષકની ક્રૂરતા: ગૃહકાર્ય ન કરવા બદલ છ વર્ષના બાળકને તમાચો માયો , હોસ્પિટલમાં મોત,પરિવારે અનેક આક્ષેપો કર્યા

વિશાખાપટ્ટનમની લિટલ ગાર્ડન સ્કૂલમાં LKGમાં અભ્યાસ કરતા 6 વર્ષના વિદ્યાર્થીનું શંકાસ્પદ સંજોગોમાં મોત થતાં ચકચાર મચી ગઈ છે. મૃતક વિદ્યાર્થીની ઓળખ પ્રણય તેજ તરીકે થઈ છે. પરિવારનો આરોપ છે કે હોમવર્ક પૂર્ણ ન કરવા બદલ શિક્ષકે બાળકને ઠપકો આપ્યો અને તેની સાથે મારપીટ કરી હતી. ત્યારબાદ, બાળક ખૂબ ડરી ગયો હતો અને રડવા લાગ્યો હતો. થોડા સમય બાદ તેને ખાંસી આવવા લાગી અને તે બેભાન થઈને ઢળી પડ્યો.

વિશાખાપટ્ટનમાં વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત 

પરિવારના જણાવ્યા અનુસાર, હોમવર્ક ન કરવા બદલ શિક્ષકે બાળકને થપ્પડ મારી હતી અને ઠપકો આપ્યો હતો. ત્યારબાદ બાળક ખૂબ જ રડવા લાગ્યું હતું. થોડા સમય બાદ તેની તબિયત અચાનક બગડી જતા તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. પરિવારનો આરોપ છે કે હોસ્પિટલ પહોંચતા પહેલાં જ બાળકનું મોત થઈ ગયું હતું. જોકે, બાળકના મોતનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી અને પોલીસ તપાસ બાદ જ સમગ્ર સ્થિતિ સ્પષ્ટ થશે. આ ઘટનાને પગલે શાળામાં પણ તણાવનો માહોલ હોવાનું જણાવાઈ રહ્યું છે.

પરિવારે કડક કાર્યવાહીની કરી માંગ 

આ ઘટના સાથે જોડાયેલા CCTV ફૂટેજ પોલીસને મળ્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર, ફૂટેજમાં શિક્ષક બાળકને ઠપકો આપતા જોવા મળી રહ્યા છે. પોલીસ હવે CCTVમાં દેખાતી સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે. આ ઉપરાંત શાળામાં હાજર લોકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે તે સમયે બાળક સાથે શું થયું હતું અને ઠપકો અથવા કથિત મારપીટ બાદ તેની તબિયત કેવી રીતે બગડી. પરિવારજનોએ શાળા સંચાલન અને સંબંધિત શિક્ષક સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. પરિવારનું કહેવું છે કે બાળક દરરોજની જેમ શાળાએ અભ્યાસ કરવા ગયો હતો, પરંતુ પાછો ઘરે પરત ફરી શક્યો નહીં. તેમણે સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરાવી અને દોષી સાબિત થનારા લોકો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. 

શાળાની સલામતી અંગે પ્રશ્નો ઉભા થયા

આ ઘટનાએ શાળાઓમાં નાના બાળકોની સલામતી અને શિક્ષકોના વર્તન અંગે પ્રશ્નો ઉભા કર્યા છે. આનાથી પરિવારોની ચિંતા વધી શકે છે કે LKG જેવા નાના બાળકો સાથે શાળામાં કેવું વર્તન કરવામાં આવે છે. પોલીસ હાલમાં આ મામલાની તપાસ કરી રહી છે. અધિકારીઓનું કહેવું છે કે તપાસમાં બહાર આવેલા તથ્યોના આધારે આગળની કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments