-શ્રીમતી નંદિની દેશપાંડે (નાટય લેખિકા : મહાનાટ્ય લોકમાતા અહિલ્યાદેવી)
અમદાવાદ,૩૦/૦૫/૨૫, પ્રાતઃ સ્મરણીય પુણ્યશ્લોક રાજમાતા મહારાણી દેવી અહિલ્યાબાઈ હોલકર ની ૩૦૦મી જન્મજયંતિ પર પ્રબુદ્ધ મહિલા શક્તિ પર ભારત રક્ષા મંચ-ગુજરાત દ્વારા અમદાવાદમાં તા .૩૦-૦૫-૨૦૨૫ શુક્રવારે, બપોરે ૫.૦૦ થી ૬.૩૦ વાગ્યા સુધી મહારાષ્ટ્ર સમાજ હોલ,વસંતચોક,ભદ્ર પાસે,લાલદરવાજા,અમદાવાદ, ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા શ્રીમતી નંદિની દેશપાંડે (નાટય લેખિકા : મહાનાટ્ય લોકમાતા અહિલ્યાદેવી)એ પોતાના વિચારો વ્યક્ત કરતાં કહ્યું કે અહિલ્યા બાઈ ને સમજવા માટે તેમણે પોતાના જીવનમાં કરેલા કાર્યોને જાણવાં અને સમજવા પડશે.જે આજે પણ આખા દેશમાં વિદ્યમાન છે.તેમનું જીવન એક પ્રેરણામયી જીવન રહ્યું છે. જેણે મને તેમના વિશે લખવા માટે પ્રેરિત કરી અને એક મહાનાટ્ય ની રચના કરી છે જેમાં રાજમાતાના જીવનની દરેક ક્ષેત્રમાં આપેલ યોગદાન ને દર્શાવવામાં આવ્યું છે. વધુ માં તેમણે કહ્યું કે લોકમાતા અહિલ્યાદેવી હોલકર એ નીતિ, ન્યાય, વહીવટ અને લોકો પ્રત્યેના પ્રેમના અદ્ભુત અને અનોખા સંયોજનનું નામ છે… તેઓ વર્તમાન નીતિ નિર્માતાઓ માટે પ્રેરણાના સ્ત્રોત પણ છે… જેમના લોકો આદર્શ છે અને જેમનો ધર્મ જન કલ્યાણ છે, સમય તેમને એક મૌલિક અને અવિસ્મરણીય ઇતિહાસ બનાવે છે. અત્યંત કાર્યક્ષમ અને સક્ષમ વહીવટી તંત્ર સ્થાપિત કરીને, અહિલ્યાબાઈએ યાત્રાળુઓની સુવિધા માટે કાશ્મીરથી કન્યાકુમારી સુધી દેશભરમાં નદીઓ પર ધર્મશાળાઓ અને ઘાટ બનાવ્યા… કુવાઓ, પગથિયા અને તળાવો મોટા પાયે બનાવવામાં આવ્યા… આક્રમણકારો દ્વારા નાશ પામેલા અને જર્જરિત મંદિરોનો નવીનીકરણ કરવામાં આવ્યો.આ ઉપરાંત નંદનીજી એ કહ્યું કે આજે દરેક મહિલાઓ રાષ્ટ્રરક્ષા માટે સ્વયં આત્મરક્ષાનું પહેલાં પ્રશિક્ષણ લઈ આત્મનિર્ભર બનવું પડશે.ત્યારે જ મહિલાઓ સમાજ અને રાષ્ટ્રરક્ષા માં પોતાનું યોગદાન આપી શકશે.

કાર્યક્રમ અધ્યક્ષતા શ્રીમતી દિનાબેન રાવલ ( પ્રદેશ અધ્યક્ષા, મહિલા પ્રકોષ્ટ, ભારત રક્ષા મંચ-ગુજરાત એ સંસ્થાનો પરિચય આપ્યો હતો અને શ્રીમતી અનુપ્રિતા અતુલ જોશી ( મહારાષ્ટ્ર સમાજ-અમદાવાદ કમિટી,જીવન સાથી વિભાગ કન્વીનર) એ અહિલ્યાબાઈના જીવન પર પોતાના વિચારો રજૂ કર્યા હતા.
આ ઉપરાંત મુખ્ય મહેમાન ડૉ. ધવલ અવિનાશ વર્તક (દિગ્દર્શક : મહાનાટ્ય લોકમાતા અહિલ્યા દેવી) એ નાટકમાં રાજમાતાના વ્યક્તિત્વ અને કૃતિત્વ જનસાધારણ સુધી પહોંચાડવા માટે પ્રદેશભર માં જનજાગૃતિ લાવવા માટે મહાનાટ્ય લોકમાતાના માધ્યમથી અત્યાર સુધી દસ સો કરવામાં આવ્યા છે.જેના બે સો આગામી ૧ જૂન રવિવારે એચ.કે.કોલેજના હોલમાં યોજાનાર છે. જેમાં ચાલીસ કલાકારોની ટીમ રાતદિવસ મહેનત કરીને આ નાટકને લોકો સુધી લઈ જવાનો પ્રયત્ન કરી રહી છે. શ્રીમતી પ્રિયંકા ખડક્કર ગોડબોલે (નાટય કલાકાર અહિલ્યાદેવી પાત્ર ભજવનાર, તથા નૃત્ય નિર્દેશિકા)એ કહ્યું કે લોકમાતા થી રાજમાતા સુધી ની જીવનયાત્રા ધણી મહિલાઓને પ્રેરણા આપી જાય છે. લોકમાતાનું પાત્ર ભજવવું મારા માટે ઘણાં ગૌરવ અને સૌભાગ્યની વાત છે. આ પ્રસંગે શ્રીમતી વર્ષાબેન બી.શાહ ( ડિસ્ટ્રીક વાઇસ ચેરમેનશ્રી, ઈનરવ્હીલ ક્લબ) એ કહ્યું કે જે સમયે લોકમાતા એ શાસનની ધુરા સાંભળી તે કરવું એ તેમનો ગુણ હતો… જરૂર પડ્યે લશ્કરી કાર્યવાહી સાથે તલવાર લઈને યુદ્ધના મેદાનમાં કૂદવાની તેમની વીર છબીએ લોકોને હિંમત પણ આપી. તેઓ વિરોધીઓ અને દુશ્મનોની યુક્તિઓ તરત જ વાંચી શકતા હતા કારણ કે તેઓ એક સરળ શાસક હતા અને તે જ શ્રેષ્ઠતા સાથે શાસનના નિર્ણયો લેતા હતા.

અહિલ્યાબાઈએ જાહેર સેવા, કલા, સંસ્કૃતિ, બાંધકામ, હિંમત, સામાજિક સુધારણા, સરળ ન્યાય વ્યવસ્થા, ધાર્મિક જીવન અને પરિવારને મુખ્ય કેન્દ્ર બનાવીને પરિવાર વ્યવસ્થાપન અને માતૃશક્તિમાં પરિવાર સાથે ઉદ્યોગસાહસિક ભાવના વિકસાવવાનું ઐતિહાસિક કાર્ય,બાર જ્યોતિલિંગનો જીર્ણોદ્ધાર કરાવ્યો.ધર્મ સંસ્કૃતિ અને પરંપરાના જતન માટે પોતાનું યોગદાન આપ્યું. સંકલ્પ તથા સાહસનો પરિચય કરાવી દેશની લાખ્ખો મહિલાઓને પ્રેરણા આપી છે. તેમના જીવનમાંથી આજે પણ લાખ્ખો મહિલાઓ પ્રેરણા લઈ ચાલી રહી છે અને આત્મનિર્ભર, આત્મવિશ્વાસુ બને તેવી પ્રેરણા લઈ રહી છે. દેવી અહિલ્યાબાઈ સંસારમાં ધન્ય બની ગયા.
આ પ્રસંગે દસમા ધોરણમાં અભ્યાસ કરતી દેવાંશી ગોરે રાજમાતા અહિલ્યાબાઈ હોલકરના જીવન પર નાટય પ્રસ્તુત કર્યું હતું.કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટય અને લોકમાતા ને પુષ્પ અર્પણ કરીને કરવામાં આવી. તથા ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત પુષ્પગુચ્છ તથા સંસ્થાનો ખેસ પહેરાવીને અમદાવાદ અને ગાંધીનગરના પદાધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.કાર્યક્રમના અંતે કેટલીક સંગઠનાત્મક ઘોષનાઓ કરવામાં આવી હતી જેમાં અમદાવાદ શહેર જીલ્લા કાર્યકારી મહિલા પ્રમુખ તરીકે શ્રીમતી અમિતાબેન દવે ની તથાં સંગઠન મંત્રી તરીકે રક્ષાબેનની ઘોષણા કરવામાં આવી.કીર્તિબેન ત્રિવેદી, હર્ષાબેન શાહ તથા અન્ય બહેનો ને સંગઠન માં જોડવામાં આવ્યા.તથા સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન શ્રી દિનાબેન રાવલ-પ્રદેશ અધ્યક્ષા મહિલા પ્રકોષ્ટ તથા અન્ય પદાધિકારીગણે કર્યું હતું.
રિપોર્ટ-મિહિર શિકારી અમદાવાદ