E-Paper
Wednesday, June 18, 2025
E-Paper
HomeGujaratAhmedabadAhmedabad : વિમાન દુર્ઘટનામાં 177 DNA સેમ્પલ મેચ

Ahmedabad : વિમાન દુર્ઘટનામાં 177 DNA સેમ્પલ મેચ

અમદાવાદમાં થયેલા ભયાનક વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 177 મૃતકોના DNA સેમ્પલનું મેચિંગ પૂર્ણ થયું છે. આમાંથી 124 મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યા છે, જ્યારે 21 મૃતદેહ આજે તેમના સ્વજનોને સોંપવામાં આવશે. મળતી માહિતી મુજબ આ દુર્ઘટનામાં 71 ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જેમાંથી બે વ્યક્તિનાં મૃત્યુ થયાં છે.

હાલ 42 દર્દીઓને રજા આપવામાં આવી છે, જ્યારે એક દર્દીની હાલત ગંભીર છે અને બાકીના દર્દીઓ સારવાર હેઠળ છે. આ ઉપરાંત, 30 મેડિકલ વિદ્યાર્થીઓ દાખલ હતા, જેમાંથી હવે માત્ર એક વિદ્યાર્થી હોસ્પિટલમાં રહેલો છે.હોસ્પિટલ સત્તાધિકારીઓના જણાવ્યા અનુસાર, મૃતદેહોની ઓળખ અને અને તેને પરિવારજનોને સોંપવાની પ્રક્રિયા અત્યંત સંવેદનશીલ અને કાયદાકીય રીતે ચોક્કસ રીતે હાથ ધરવામાં આવી રહી છે. આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા વ્યક્તિઓના મૃતદેહો વિવિધ પ્રદેશોમાંથી આવેલા પરિવારજનોને સોંપવામાં આવ્યા છે, જેમાં અમદાવાદ (41), વડોદરા (16), ખેડા (10), આણંદ (9), ભરૂચ (5), દીવ (5), સુરત (4), ગાંધીનગર (4), મુંબઈ (3), મહેસાણા (2), અરવલ્લી (2), ઉદેપુર (2), બોટાદ (1), જોધપુર (1), જૂનાગઢ (1), પંચમહાલ (1), ભાવનગર (1), લંડન (1), પાટણ (1), રાજકોટ (1), અને નડિયાદ (1)નો સમાવેશ થાય છે.DNA મેચિંગની પ્રક્રિયા ખૂબ જ ગંભીરતાથી અને કાળજીપૂર્વક કરવામાં આવી રહી છે, કારણ કે તેમાં કાયદાકીય અને ભાવનાત્મક પાસાઓ સંકળાયેલા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments