E-Paper
Saturday, June 7, 2025
E-Paper
HomeGujaratAhmedabadAhmedabad : અમરદીપ હોસ્પિટલમાં 11 દિવસના બાળકનું ડોકટરની બેદરકારીથી મોત થયાનો...

Ahmedabad : અમરદીપ હોસ્પિટલમાં 11 દિવસના બાળકનું ડોકટરની બેદરકારીથી મોત થયાનો પરિજનોનો આક્ષેપ

અમદાવાદમાં તબીબની બેદરકારીથી મોતનો આક્ષેપ લાગ્યો છે, અમદાવાદની અમરદીપ હોસ્પિટલમાં 11 દિવસના બાળકનું મોત થયું હોવાની વાત સામે આવી છે, તો પરિવારજનોનું કહેવું છે કે ડોકટરની બેદરકારીથી મોત થયું છે અને પોલીસે ઘટના સ્થળે જઈને વધુ તપાસ હાથધરી છે.

અમદાવાદની અમરદીપ હોસ્પિટલમાં ભાવનગરથી પરિવાર સારવાર માટે આવ્યો હતો અને 11 દિવસના બાળકનું મોત થતા પરિજનોએ હોબાળો કર્યો છે, તો ડોકટરનું આ મામલે કોઈ નિવેદન સામે આવ્યું નથી, તો બાળકને લીવરમાં ગાંઠની સારવાર માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યું હતુ અને બાળકના ઓપરેશન બાદ બાળકની તબિયત લથડી અને તેનું મોત થયું છે, આ મામલે હોસ્પિટલના ડોકટર કંઈ પણ કહેવા માટે તૈયાર નથી.

તો પરિવારજનોનું વધુમાં કહેવું છે કે બાળકની તબિયત લથડતા ડોકટરને જાણ કરવામાં આવી હતી અને ડોકટર પણ કીધું તેના 30 મિનિટ પછી બાળકને જોવા આવ્યા હતા અને તે પહેલા બાળકનું મોત થયું છે, તો પોલીસ પણ હોસ્પિટલ પહોંચી છે પરંતુ પોલીસ આ મામલે હજી કોઈ ફરિયાદ કે કાચી અરજી પણ લીધી નથી. પરિવારમાં આક્રંદ છે અને તેઓની માગ છે કે ડોકટર સામે તપાસ થાય અને ફરિયાદ નોંધવામાં આવે, ત્યારે જોવાનું એ રહ્યું કે પોલીસ આ મામલે ફરિયાદ નોંધે છે કે નહી.

પરિવારના સભ્યોનું કહેવું છે કે, બાળકને લીવરમાં ગાંઠની સારવાર માટે લવાયું હતું હોસ્પિટલ અને તબિયત લથડતા હોસ્પિટલ્સના સ્ટાફે ડોક્ટરને જાણ કરી હતી, અને નર્સે કહ્યું કે બાળકને બ્લિડીંગ થયું છે જયારે ડોક્ટરે કહ્યું હાર્ટફેલિયર થયું છે તો ડોક્ટરે સારવાર માટે અલગ-અલગ 2.5 લાખ રૂપિયા વસૂલ્યાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments