E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratAhmedabadAhmedabad : ઇન્ડિગો ફ્લાઇટની સમસ્યા વચ્ચે રેલવે આવ્યુ મદદે, અમદાવાદ-દિલ્હી વચ્ચે 'સ્પેશિયલ...

Ahmedabad : ઇન્ડિગો ફ્લાઇટની સમસ્યા વચ્ચે રેલવે આવ્યુ મદદે, અમદાવાદ-દિલ્હી વચ્ચે ‘સ્પેશિયલ ફેર’ સાથે વિશેષ ટ્રેનો શરૂ

પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા માટે કેટલીક નિયમિત ટ્રેનોમાં વધારાના કોચ પણ જોડવામાં આવ્યા છે. રેલવેના આ ઝડપી અને સકારાત્મક પગલાને કારણે ફ્લાઇટ રદ થવાથી અટવાયેલા મુસાફરોને મોટી રાહત મળી છે.

અમદાવાદ એરપોર્ટ પર છેલ્લા કેટલાક દિવસોથી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ્સ રદ થવાના કારણે હજારો મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સંકટની સ્થિતિમાં મુસાફરોને રાહત આપવા માટે ભારતીય રેલવે આગળ આવ્યું છે. રેલવે દ્વારા અમદાવાદથી દિલ્હી તરફના મુસાફરો માટે વિશેષ ભાડા (Special Fare) પર ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ ખાસ ટ્રેનો આજથી (તારીખ) 9 ડિસેમ્બર સુધી સાબરમતી અને દિલ્હી-ચરાય રોહીલા વચ્ચે દોડશે. રેલવેનો આ પ્રયાસ મુસાફરોને હાલાકીમાંથી ઉગારવા માટેનો છે. તાત્કાલિક ધોરણે મુસાફરોને ટ્રેનોની માહિતી મળી રહે તે માટે એરપોર્ટ પર એક વિશેષ હેલ્પ ડેસ્ક પણ શરૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા માટે કેટલીક નિયમિત ટ્રેનોમાં વધારાના કોચ પણ જોડવામાં આવ્યા છે. રેલવેના આ ઝડપી અને સકારાત્મક પગલાને કારણે ફ્લાઇટ રદ થવાથી અટવાયેલા મુસાફરોને મોટી રાહત મળી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments