E-Paper
Wednesday, June 18, 2025
E-Paper
HomeGujaratAhmedabadAhmedabad : ટાટા ગ્રૂપ બાદ એર ઇન્ડિયાની મોટી જાહેરાત

Ahmedabad : ટાટા ગ્રૂપ બાદ એર ઇન્ડિયાની મોટી જાહેરાત

અમદાવાદમાં 12મી જૂનના રોજ એક દુ:ખદ અકસ્માત થયો હતો. અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના થોડા સમય પછી એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું. આ વિમાનમાં 242 લોકો સવાર હતા, જેમાંથી 241 લોકોના મોત થયા હતા. ત્યારે આ વિમાન એક હોસ્પિટલના હોસ્ટેલ પર પડ્યું હતું, જેના કારણે ત્યાં રહેતા ઘણા લોકો મૃત્યુ પામ્યા છે અને ઘણા ઘાયલ થયા છે. હાલમાં, આ અકસ્માતની તપાસ ચાલી રહી છે. તે જ સમયે, એર ઇન્ડિયાએ મૃતકોના પરિવારો અને અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે.

મળતી માહિતી મુજબ એર ઇન્ડિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં વળતરની જાહેરાત કરી છે. એર ઇન્ડિયાએ તેની પોસ્ટમાં અકસ્માતમાં જીવ ગુમાવનારા મુસાફરોના પરિવારો સાથે એર ઇન્ડિયા ઊભી હોવાનું આશ્વાસન આપ્યું હતું. એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે, અમારા સતત પ્રયાસોના ભાગ રૂપે, એર ઇન્ડિયા તાત્કાલિક નાણાકીય જરૂરિયાતોને પહોંચી વળવા માટે મૃતકો અને બચી ગયેલા લોકોના પરિવારોને ₹ 25 લાખ અથવા આશરે 21,000 GBP ની વચગાળાની ચુકવણી કરશે. ઉલ્લેખનીય છેકે આ ટાટા સન્સ દ્વારા પહેલાથી જ જાહેર કરાયેલ ₹ 1 કરોડ અથવા આશરે 85,000 GBP સહાય ઉપરાંત છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments