E-Paper
Wednesday, June 18, 2025
E-Paper
HomeGujaratAhmedabadAhmedabad : તંત્ર લોકો પર કરે છે મનમાની : જે ડોક્ટર્સના મોત...

Ahmedabad : તંત્ર લોકો પર કરે છે મનમાની : જે ડોક્ટર્સના મોત થયા છે તેમના શબ પડ્યા છે અને અમને મકાન ખાલી કરાવે છે !

કોઈપણ દુર્ઘટના થાય ત્યારે તંત્ર લોકો પર મનમાની કરે છે. 12 જૂન 2025ના રોજ, અમદાવાદમાં ટાટા કંપનીનું પેસેન્જર પ્લેન બોઈંગ 787-8 ડ્રીમલાઈનર ટેકઓફ થયુ ત્યાં મેઘાણીનગરમાં મેડિકલ સ્ટુડન્ટ હોસ્ટેલ પર તૂટી પડ્યું. ડોક્ટરના પરિવારજનો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે બીજી તરફ તાત્કાલિક મકાન ખાલી કરવા ડોક્ટર્સ પર દબાણ થઈ રહ્યું છે.

સૌથી આઘાતજનક બાબત એ છે કે કુલ કેટલા મેડિકલ સ્ટુડન્ટસ/ ડોક્ટર્સના મોત થયા? કેટલા નાગરિકોના મોત થયા? તેની વિગત સરકાર છૂપાવી રહી છે.

ડો. અનિલ અને તેમના પત્ની આસિસ્ટન્ટ પ્રોફેસર છે. તેની સ્થિતિ મજૂર જેવી છે. શરીર અને કપડાં પર કાળી રાખ ચોંટેલી છે. 13 જૂનની રાત્રે નવ વાગ્યે તે સરકારી મકાન ખાલી કરી રહ્યા છે. તે રડતાં રડતાં કહે છે કે “જ્યારે પ્લેન ક્રેશ થયું ત્યારે હું અને મારા પત્ની હોસ્પિટલમાં ડ્યુટી પર હતા. ઘર પર મારી અઢી વર્ષની દીકરી અને કામવાળી હતી. દીકરીના શ્વાસોશ્વાસમાં ધુમાડો ઘૂસી જતાં હાલ સારવાર હેઠળ છે. મારે અત્યારે દીકરી પાસે હોવું જોઈએ તેના બદલે હું સામાન ફેરવી રહ્યો છું. મારુ અડધું ઘર બળી ગયું છે. પરંતુ ઘર ચલાવવા બેઝિક સામાન જોઈએ તે લેવા માટે સમય તો આપો ! શું અમે માણસ નથી? હું મકાન ખાલી કરવા બે-ત્રણ દિવસનો સમય માંગું છું. જે ડોક્ટર્સના મોત થયા છે તેમના શબ પડ્યા છે અને અમને મકાન ખાલી કરાવે છે !”

પ્લેન ક્રેશ ઘટનાની તપાસ માટે અસરગ્રસ્ત જગ્યા ખાલી કરાવવાની જરુરિયાત હોય તે સમજી શકાય છે. પરંતુ શું તંત્રએ Disaster managementની તાલીમ લીધી જ નહીં હોય? શું તંત્રનું આ પગલું ડિઝાસ્ટર મેનેજમેન્ટની સમજણનો અભાવ દર્શાવતું નથી? સંવેદનાનો અભાવ સૂચવતું નથી? જેમના અડધા ઘર સળગી ગયા છે, જેમના પરિવારજનો હોસ્પિટલમાં એડમિટ છે, તેમને સરકારી મકાન ખાલી કરવાનો બે દિવસનો સમય આપે તો વાંધો શું? વળી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવી ન હતી. તાત્કાલિક સામાન લઈને ક્યાં જવું? તે પ્રશ્ન પણ મૂંઝવે !

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments