E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratAhmedabadAhmedabad : મોડે તો મોડે AMC જાગ્યું તો ખરૂં, જૂના બ્રિજ પર...

Ahmedabad : મોડે તો મોડે AMC જાગ્યું તો ખરૂં, જૂના બ્રિજ પર લગાવવામાં આવશે હાઇટ બેરિયર

અમદાવાદના સુભાષ બ્રિજની સ્થિતિ બગડ્યા બાદ AMC હરકતમાં આવ્યું છે. AMC દ્વારા જુના બ્રિજ પર હાઇટ બેરિયર લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજ્યમાં ઘણા બ્રિજની હાલત બિસ્માર છે. જે કારણે ઘણા બ્રિજ પર ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ નિર્ણય વડોદરાના પાદરામાં આવેલા ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટના બાદ લેવામાં આવ્યો હતો. હાલ પણ રાજ્યના ઘણા બ્રિજનું મેઈન્ટેન્સ કરવામાં આવી રહ્યું હોવાના કારણે બંધ કરવામાં આવ્યા છે. હાલ અમદાવાદનો સુભાષ બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ઘણા બ્રિજની હાલત જર્જરિત છે. આવામાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જૂના બ્રિજ પર ભારે વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

અમદાવાદના સુભાષ બ્રિજની સ્થિતિ બગડ્યા બાદ AMC હરકતમાં આવ્યું છે. AMC દ્વારા જુના બ્રિજ પર હાઇટ બેરિયર લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંતર્ગત બ્રિજ, રેલવે બ્રિજ, ફ્લાય ઓવર પર હાઈટ બેરિયર લગાવવામાં આવશે. હાઈટ બેરિયર લગાવવાને કારણે ભારે વાહનો પસાર થઇ શકશે નહીં. AMC દ્વારા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, ભારે વાહનોથી બ્રિજને નુકસાન થાય છે.

અમદાવાદ શહેરમાં આવેલા સુભાષ બ્રીજની સ્થિતિ બગડ્યા બાદ AMC તંત્ર સફાળું જાગ્યું હોય તેમ જણાઈ રહ્યું છે. આવામાં લોકોનું કહેવું છે કે, મોડું તો મોડું અંતે તંત્ર જાગ્યું તો ખરૂં. અમદાવાદ મનપા દ્વારા શહેરના જૂના બ્રીજો હાઈટ બેરિયર ઉપર લગાવવામાં આવશે. નદી ઉપરના જૂના બ્રિજ, રેલવે બ્રિજ તેમજ ફ્લાય ઓવર બ્રિજ ઉપર બેરિયર લગાવવામાં આવશે.

બેરિયર લગાવવાથી બ્રિજ ઉપરથી ભારે વાહનો પસાર થઈ શકશે નહીં. ભારે લોડિંગ વાહનોને કારણે બ્રિજને નુકસાન થતું હોવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે ભારે વાહનો માટે વૈકલ્પિક વ્યવસ્થા અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. જે કારણે ભારે વાહન ચાલકોને આ નિર્ણય બાદ પરેશાનીનો સામનો કરવો પડી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments