E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratAhmedabadAhmedabad : સરખેજ, ગ્યાસપુર અને ફતેહવાડીમાં જળ સંકટ, હાઈકોર્ટમાં પાણી મુદ્દે...

Ahmedabad : સરખેજ, ગ્યાસપુર અને ફતેહવાડીમાં જળ સંકટ, હાઈકોર્ટમાં પાણી મુદ્દે જાહેરહિતની અરજી

નામદાર હાઈકોર્ટે આ અરજીને ગ્રાહ્ય રાખી છે અને આગામી દિવસોમાં આ ગંભીર મુદ્દે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે, જેમાં રાજ્ય સરકાર અને સ્થાનિક કોર્પોરેશન પાસેથી જવાબ માંગવામાં આવી શકે છે.

અમદાવાદ શહેરના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારોમાં પીવાના પાણીની વિકટ સમસ્યાને લઈને ગુજરાત હાઈકોર્ટમાં એક મહત્વની જાહેરહિતની અરજી (PIL) દાખલ કરવામાં આવી છે. સરકારની મહત્વકાંક્ષી ‘નલ સે જલ’ યોજના હેઠળ દરેક ઘર સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવાનો દાવો કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતામાં ગ્યાસપુર, સરખેજ, મકતમપુર અને ફતેહવાડી જેવા શહેરી વિસ્તારોમાં હજુ પણ પાણીનો ભારે અભાવ જોવા મળી રહ્યો છે. અરજદારે કોર્ટમાં રજૂઆત કરી છે કે વહીવટી તંત્રની નિષ્ફળતાને કારણે હજારો નાગરિકો પાયાની જરૂરિયાત સમાન પાણીથી વંચિત રહી ગયા છે.

અરજદાર દ્વારા કરવામાં આવેલી આ રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે યોજનાના અમલીકરણમાં થતી બેદરકારીને કારણે સ્થાનિક રહીશોને ટેન્કરો પર નિર્ભર રહેવું પડે છે અથવા દૂષિત પાણીનો સામનો કરવો પડે છે. આ મામલે યોગ્ય તપાસ કરી સત્વરે પાણીનો પુરવઠો પૂરો પાડવા માટે હાઈકોર્ટમાં દાદ માંગવામાં આવી છે. નામદાર હાઈકોર્ટે આ અરજીને ગ્રાહ્ય રાખી છે અને આગામી દિવસોમાં આ ગંભીર મુદ્દે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે, જેમાં રાજ્ય સરકાર અને સ્થાનિક કોર્પોરેશન પાસેથી જવાબ માંગવામાં આવી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments