અમરેલી જીલ્લાના બગસરા તાલુકાના હામાપુરમાં કૃષિ રથ પહોંચ્યો હતો. જ્યાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને આધુનિક ખેતી પદ્ધતિ અંગે સમજણ આપવામાં આવી હતી. આ રથના આગમન સમયે ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા 29 મેથી 12 જૂન દરમિયાન પ્રી-ખરીફ અભિયાન યોજવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત બગસરા તાલુકાના હામાપુર ગામે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન કૃષિ રથ પહોંચ્યો હતો. વિકસિત કૃષિ સંકલ્પ યાત્રામાં અમરેલી કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક ડો. મીનાક્ષીબેન બારિયાના માર્ગદર્શન હેઠળ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક એન. એમ. કાછડીયા અને ખેતી અધિકારી એસ. જી. બારીયા દ્વારા ખેડૂતોને આધુનિક ખેત પદ્ધતિની સમજણ આપવામાં આવી હતી. અહીં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીથી થતાં ફાયદાઓ વિશે વિગતો આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ખેડૂતોએ ભાગ લીધો હતો. ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે અમરેલી કૃષિ વિજ્ઞાન કેન્દ્રએ અપીલ કરી હતી.
Amreli : બગસરાના હામાપુરમાં ખેડૂતોને આધુનિક ખેતી પદ્ધતિ અંગે સમજણ અપાઈ
By pakkogujarat
0
12
RELATED ARTICLES