ભારત સરકારના ગૃહ મંત્રાલયની સૂચના અનુસાર આણંદ એલીકોન કંપની ખાતે વિવિધ ડિઝાસ્ટર આધારિત મોક ડ્રિલ “ઓપરેશન શિલ્ડ” નામની દ્વિતીય સિવિલ ડિફેન્સ એક્સસાઈઝ યોજાઈ હતી. એલીકોન કંપનીમાં એક ભાગમાં મિસાઇલ પડતાં નાસભાગ મચી હોવા દ્રશ્ય સર્જાવામાં આવ્યાં હતા. તેમજ 26 ઇજાગ્રસ્તને એમ્બ્યુલન્સ મારફતે માત્ર 7 મિનિટમાં સિવિલ હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યાં હતા.આ એક્સસાઈઝના ઈન્સીડન્ટ કમાન્ડર તરીકે આણંદના પ્રાંત અધિકારી મયુર પરમારે તમામ જવાબદારી અદા કરી હતી. આ સિવિલ ડિફેન્સ એક્સસાઈઝ દરમિયાન એલીકોન કંપનીની કેન્ટીન ઉપર મિસાઇલ પડયુ હોવાના મેસેજ મળતા જ તંત્ર એલર્ટ મોડમાં આવી ગયુ હતુ અને સબંધિત તમામ વિભાગના અધિકારીઓ જરૂરી સાધન સાથે સ્થળ ઉપર ઉપસ્થિત થઈને રાહત બચાવની કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહીમાં આણંદ શહેર અને તાલુકાના સિવિલ ડિફેન્સ વોલેન્ટિયર તરીકે નોંધાયેલા સ્વયંસેવકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તેમને સોંપવામાં આવેલ કાર્યને સારી રીતે નિભાવીને ૨૬ જેટલા ઈજાગ્રસ્તોને દુર્ઘટના સ્થળેથી બહાર લાવી તેમને એમ્બ્યુલન્સ મારફત હોસ્પિટલે પહોંચાડ્યા હતા. આણંદ સિવિલ હોસ્પિટલ ખાતે ઘવાયેલા દર્દીઓની એમ્બ્યુલન્સ પહોંચતા જ તાત્કાલિક દર્દીઓની સારવાર શરૂ કરવામાં આવી હતી અને હોસ્પિટલના ડોક્ટર અને સ્ટાફ દ્વારા તમામ દર્દીઓને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.
Ananad : એલીકોન કંપની ખાતે “ઓપરેશન શિલ્ડ” નામની દ્વિતીય સિવિલ ડિફેન્સ એક્સસાઈઝ યોજાઈ
By pakkogujarat
0
15
RELATED ARTICLES