ભરૂચ જીલ્લાના અંકલેશ્વર તાલુકામાં GIDCમાં આવેલી મોહન પોલીમર્સ પ્રાઇવેટ લિમિટેડમાં એક મહિના પહેલા થયેલા એસિડ અકસ્માતમાં ઘાયલ થયેલા કર્મચારીનું મુંબઈમાં મોત નિપજતા મૃતકના પરિવારજાણો દ્વારા વળતરની માંગ કરવામાં આવી છે. અંકલેશ્વર GIDCમાં આવેલી મોહન પોલીમર્સ પ્રાઇવેટ લિમિટેડમાં એક મહિના પહેલા થયેલા એસિડ અકસ્માતમાં ઘાયલ થયેલા કર્મચારીનું મુંબઈમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. ગત 17મી એપ્રિલે સવારે 11 વાગ્યે કંપનીના રિએક્ટરમાંથી એસિડ ઉડીને કર્મચારી ઉવધેસિંગ શિવલોચનસિંગ પર પડ્યું હતું. જેમાં ગંભીર રીતે દાઝેલા ઉવધેસિંગને પ્રથમ અંકલેશ્વરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની તબિયત વધુ બગડતા મુંબઈની હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. ત્યારે કર્મચારીના મૃત્યુ બાદ મૃતકના પરિવારજનોએ કંપની ખાતે જઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. કંપની દ્વારા લેખિતમાં સહાયની ખાતરી આપવામાં આવી હોવા છતાં યોગ્ય વળતર ન મળતા પરિવારજનોએ ન્યાયની માંગ કરી છે. પરિવારજનોએ મૃતક ઉવધેસિંગને ન્યાય અપાવવા માટે યોગ્ય કાર્યવાહીની માંગણી કરી છે.
Reporter : કેતન મહેતા, અંકલેશ્વર ભરૂચ